રામાયણમાં દશરથના રોલ માટે હવે અરુણ ગોવિલને ઓફર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
રામાયણમાં દશરથના રોલ માટે હવે અરુણ ગોવિલને ઓફર 1 - image


- ટીવીના રામ મોટા પડદે દશરથ બની શકે

- અરુણ ગોવિલ આગામી આર્ટિકલ 360માં પીએમ મોદીની ભૂમિકાામાં પણ છે

મુંબઇ : નિતેશતિવારીની 'રામાયણ'માં દશરથનો રોલ અમિતાભ બચ્ચનને ઓફર થયાની ચર્ચા બાદ હવે નવાં અપડેટ અનુસાર આ રોલ અરુણ ગોવિલને ઓફર કરાયો છે. 

ફિલ્મની સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, નિતેશ તિવારીએ બિગ બીનો નહીં પરંતુ અરુણ ગોવિલનો દશરથ રાજાની ભૂમિકા માટે નિતેશ તિવારીએ સંપર્ક કર્યો છે. અરુણ ગોવિલ આ ઓફર સ્વીકારે તો ટીવી પડદાના રામ સિનેમાના મોટા પડદે દશરથ તરીક જોવા મળે તેવો અનોખો સંયોગ રચાશે. 

જોકે, કાસ્ટિંગ વિશે આ બધી અટકળો જ છે અને નિર્માતાઓ તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

અહેવાલો અનુસાર ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીના રોલમાં છે જ્યારે લારા દત્તા કૈકેયીની ભૂમિકામાં હશે. રાવણ તરીકે યશની પસંદગી કરાઈ છે.   ફિલ્મમાં ભગવાન રામનો રોલ ભજવનારો રણબીર કપૂર અને સીતા માતાની ભૂમિકા ભજવનારી સાઈ પલ્લવી આવતા મહિને શૂટિંગ શરુ કરી દે તેવી સંભાવના છે.


Google NewsGoogle News