અનુષ્કા શર્મા પ્રેગનન્ટ હોવાથી કરવા ચોથનો ઉપવાસ ન કર્યો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
અનુષ્કા શર્મા  પ્રેગનન્ટ હોવાથી કરવા ચોથનો ઉપવાસ ન કર્યો 1 - image


- જોકે, હજુ પ્રેગનન્સીની પોતે જાહેરાત કરી નથી

- અનુષ્કાએ મનપસંદ નાસ્તા કરવાનું પસંદ કર્યું હોવાનો સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સંકેત

મુંબઇ : અનુષ્કા શર્માએ કરવા ચૌથના દિવસે ઉપવાસ કરવાને બદલે પોતાનો મનપસંદ નાસ્તો કરવાનું પસંદ કર્યું હોવાનો સંકેત સોશિયલ મીડિયા પોસ્ટ પરથી મળ્યો છે. તેના આધારે એવી ચર્ચા થઈ છે કે અભિનેત્રી હાલ બીજી વાર પ્રેગનન્ટ હોવાથી તેણે કરવા ચૌથનો ઉપવાસ કર્યો નથી. 

વિરાટ અને અનુષ્કા બીજીવાર માતાપિતા બનવાનાં હોવાનું મનાય છે. જોકે, આ  સેલિબ્રિટી યુગલે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, છેલ્લા કેટલાક સમયથી અનુષ્કાની સોશિયલ મીડિયા પોસ્ટસની તસવીરો તથા અમદાવાદમાં વર્લ્ડ કપના ઉદ્ધઘાટન વખતે તેની હાજરી વખતના વીડિયો વગેરે પરથી એવું મનાય છે કે તે પ્રેગનન્ટ છે. થોડા સમય પહેલાં વિરાટ કોહલી પણ ભારતીય ટીમથી છૂટો પડી ઈમરજન્સીમાં મુંબઈ દોડી આવ્યો હતો તે પરથી પણ આ વાત કન્ફર્મ ન મનાય છે. 

અનુષ્કાએ જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરમાં તે પોતાના મનપસંદ નાસ્તાને માણી રહી હોવાનું દેખાડયું છે. તેના પરથી પોતે લોકો અટકળ લગાવી રહ્યા છે કે પ્રેગનન્સીના કારણે તેણે ઉપવાસ કરવાનું ટાળ્યું છે. 

અનુષ્કા અને વિરાટ વામિકા નામની દીકરીનાં માતાપિતા છે. તેમણે હજુ સુધી વામિકાનો ચહેરો પણ મીડિયામાં દર્શાવવાનું ટાળ્યું છે. 

અનુષ્કાએ થોડા સમય પહેલાં તેનાં પ્રોડક્શન હાઉસની પણ સઘળી જવાબદારી તેના ભાઈને સોંપી દીધી છે. 


Google NewsGoogle News