અનુપમ ખેર 69 વર્ષે ફરી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવશે

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
અનુપમ ખેર 69 વર્ષે ફરી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવશે 1 - image


- તન્વી ધી ગ્રેટ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી

- ૨૨ વર્ષ પહેલાં ઓમ જય જગદીશ નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું

મુંબઇ: અનુપમ ખેર ૨૨ વર્ષ પછી ફરી   ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવી રહ્યો છે. તેણે પોતાના જન્મદિવસે  'તન્વી ધી ગ્રેટ' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. 

અનુપમના દાવા અનુસાર તે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.  હવે મહાશિવરાત્રિના દિવસથી ફિલ્મનું શૂટિંગ શરુ કરવાનું નક્કી કર્યું છે. 

અનુપમ ખેરે આ અગાઉ ૨૦૦૨માં 'ઓમ જય જગદીશ' નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન તથા ફરદીન ખાન જેવા કલાકારોએ કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બહુ સાધારણ કક્ષાની બની હતી અને ટિકિટ બારી પર પણ ખાસ ચાલી ન હતી. આ ફિલ્મના અનુભવમાં   પસ્તાયા પછી આટલાં    વર્ષો સુધી  અનુપમ ખેરે કોઈ ફિલ્મનું દિગ્દર્શન કરવાની હિંમત કરી ન હતી. 


Google NewsGoogle News