ફિલ્મમાં રોલ અંગે કપૂર બ્રધર્સ વચ્ચે થયો ઝઘડો, નાના ભાઈએ વાતચીત બંધ કરી દીધી, જાણો મામલો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ફિલ્મમાં રોલ અંગે કપૂર બ્રધર્સ વચ્ચે થયો ઝઘડો, નાના ભાઈએ વાતચીત બંધ કરી દીધી, જાણો મામલો 1 - image


Image Source: Twitter

Anil Kapoor and Boney Kapoor: અનિલ કપૂર અને બોની કપૂરની વચ્ચે ભાઈના સબંધ ઉપરાંત મિત્રતાનો પણ સબંધ છે. બોનીની અનેક ફિલ્મોમાં અનિલ કપૂર કામ કરી ચૂક્યો છે. બોની કપૂરે ફિલ્મ 'No Entry' બનાવી હતી જેમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, ઈશા દેઓલ, લારા દત્તા, બિપાશા બસુ અને સેલિના જેટલી લીડ રોલમાં હતા. હવે આ ફિલ્મની સીક્વલ અંગે અનિલ પોતાના ભાઈ બોનીથી નારાજ છે. બોનીએ પોતે આ અંગે જણાવ્યું છે. 

કયા કારણોસર અનિલ કપૂર નારાજ છે?

જ્યારથી No Entry 2ની ઓનલાઈન કાસ્ટિંગ લીક થઈ ગઈ છે ત્યારથી અનિલ કપૂર પોતાના ભાઈ બોની કપૂર સાથે બરાબર રીતે વાત નથી કરી રહ્યો. એવા અહેવાલ હતા કે, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂરને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. બોની કપૂરે જણાવ્યું કે, હું પોતાના ભાઈ અનિલને નો એન્ટ્રીની સિક્વલ વિશે જણાવે એ પહેલા તેઓ ગુસ્સે થઈ ગયા કારણે કે, આ ન્યૂઝ પહેલા જ લીક થઈ ગઈ હતી. ખૂબ જ ખરાબ વાત છે કે, આ ખબર લીક થઈ ગઈ. હું જાણું છું કે, તે નો એન્ટ્રી સિક્વલનો ભાગ બનવા માગતો હતો પરંતુ સ્પેસ નહોતી. હું તેમને સમજાવવા માગતો હતો કે, મેં આવું કયા કારણોસર કર્યું. 

નવા એક્ટર્સ કેમ લીધા?

વરુણ, અર્જૂન અને દિલજીતના કાસ્ટિંગ અંગે બોનીએ કહ્યું કે, વરુણ અને અર્જૂન સારા મિત્રો છે. તેમની કેમેસ્ટ્રી સ્ટોરીમાં સારી રીતે બહાર આવશે અને દિલજીત તો શાનદાર છે જ. તેમની મોટી ફેન ફોલોઈંગ છે. હું આજના સમય પ્રમાણે તેને બનાવવા માંગુ છું. આ જ કારણોસર મેં આ કાસ્ટિંગ કર્યું છે.

બોનીએ આગળ કહ્યું કે, અત્યાર સુધી મારો ભાઈ મારી સાથે વાત નથી કરી રહ્યો. આશા રાખુ છું કે, ટૂંક સમયમાં બધુ બરાબર થઈ જશે. એક અહેવાલ પ્રમાણે નો એન્ટ્રીની સિક્વલની શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં જ થશે અને ફિલ્મ 2025માં રિલીઝ થશે. 


Google NewsGoogle News