વિકી કૌશલની 'છાવા' ફિલ્મમાં અનિલ કપૂર ઔરંગઝેબ બની શકે
- ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરુ થશે
- છત્રપતિ સંભાજી મહારાજ પર બની રહેલી ફિલ્મમાં વિકી સાથે રશ્મિકા મંદાનાની જોડી છે
મુંબઈ : વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ પર બની રહેલી ફિલ્મ 'છાવા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં ઔરંગઝેબનો રોલ અનિલ કપૂરને ઓફર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
અનિલ કપૂરે તેની કારકિર્દીમાં કોઈ ઐતિહાસિક પાત્ર ભાગ્યે જ ભજવ્યું છે. આ જોતાં તે આ ઓફર સ્વીકારશે તો તેની કારકિર્દીમાં આ તબક્કે પણ એક નવું સીમાચિહ્ન હશે.
આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે રશ્મિકા મંદાનાની જોડી છે. વિકીએ બહુ લાંબા સમય પહેલાંથી આ ઐતિહાસિક પાત્ર ભજવવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. લક્ષ્મણ ઉત્તેકર આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે.
ફિલ્મનું શૂટિંગ મોટાભાગે આ મહિને જ શરુ થઈ જશે. આવતાં વર્ષના મધ્ય ભાગ સુધીમાં તે રીલીઝ કરી દેવાનું આયોજન છે.
અનિલ કપૂર હાલ સંખ્યાબંધ પ્રોજેક્ટસમાં વ્યસ્ત છે. તેની રણબીર કપૂર સાથેની ફિલ્મ 'એનિમલ' પણ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે.