નો એન્ટ્રી-ટુ બનાવવા મુદ્દે અનિલ અને બોની વચ્ચે મનદુ:ખ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
નો એન્ટ્રી-ટુ બનાવવા મુદ્દે અનિલ અને બોની વચ્ચે મનદુ:ખ 1 - image


- ફિલ્મમાં રોલ ન મળતાં અનિલને માઠું લાગ્યું

- દિગ્દર્શક અનીસ બાઝમીએ અણબનાવને સમર્થન આપ્યું: બંને વચ્ચે સમાધાનની આશા

મુંબઇ : બોની કપૂર 'નો એન્ટ્રી ટૂ' બનાવી રહ્યો છે તેમાં અનિલ કપૂરને પડતો મૂકાતાં આ મુદ્દે બંને ભાઈઓ વચ્ચે અણબનાવ સર્જાયો હોવાની વાતને  ફિલ્મના દિગ્દર્શક અનિસ બઝમીએ પણ સમર્થન આપ્યું છે. અનિલકપૂર પાસે કામના ફાંફા નથી, પરંતુ  બોની કપૂરે બનાવેલી મૂળ 'નો એન્ટ્રી'  ફિલ્મમાં કામ કર્યા પછી બીજા ભાગમાં તેની બાદબાકીથી તે નારાજ થયો છે 

'નો એન્ટ્રી'ના બીજા ભાગમાં જોકે બોનીએ પોતાના દીકરા અર્જુન કપૂરને સામેલ કર્યો છે.  ફિલ્મના અન્ય કલાકારોમાં દિલજીત દોસાંજ તથા વરુણ ધવનનો સમાવેશ થાય છે. 

અનીસ બઝમીએ બંને ભાઈઓ વચ્ચે મનદુ:ખ થયું હોવાની વાત કન્ફર્મ કરતાં કહ્યું હતું કે અનિલ કપૂરનો ગુસ્સો વાજબી પણ છે. પહેલીવાર આ ફિલ્મ બની હતી ત્યારે અનિલ કપૂરે એક એક્ટર તરીકે સીમિત રહેવાને બદલે ફિલ્મનાં સર્જનમાં પૂરેપૂરા તલ્લીન થઈને કામ કર્યું હતું. અનિલ આ પ્રોજેક્ટ માટે બહુ ઈમોશનલ છે. બીજા ભાગમાંથી કોઈ દેખીતાં કારણ વિના જ તેની બાદબાકી કરી દેવાતાં તેને માઠું લાગ્યું છે. 

જોકે, બઝમીને આશા છે કે બંને ભાઈઓ આ મુદ્દે ટૂંક સમયમાં કોઈ સમાધાન સાધી લેશે. 


Google NewsGoogle News