અનન્યાએ મુંબઇમાં ધનતેરસના દિવસે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
અનન્યાએ મુંબઇમાં ધનતેરસના દિવસે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો 1 - image


- સોશયલ મીડિયા પર તસવીર શેર કરી  સેલિબ્રિટીઓએ અભિનંદન આપ્યા

મુંબઇ : અનન્યાપાંડે હાલ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધને લીધે ચર્ચામાં છે. જોકે આ વખતે અનન્યાને લઇને અપડેટ છે કે, તેણે મુંબઇમાં એક પોતાનું ઘર ખરીદ્યું છે. જે તેણે સોશયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું છે. જે માટે સોશયલ મીડિયા પર સેલિબ્રિટીઓ તેને અભિનંદન આપ્યા હતા. 

ધનતેરસના દિવસે અનન્યાએ સોશયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, સાથે કેપ્શન લખ્યું છે કે, મારું પોતાનું નવું ઘર. નવી શરૂઆત માટે તમારા દરેકના પ્રેમ અને સારી ભાવનાઓની જરૂર છે. ધનતેરસની શુભકામનાઓ. 

અનન્યાએ શેર કરેલી પ્રથમ તસવીરમાં તે પીળા આઉટફિટમાં હાથ જોડેલી જોવા મળે છે. આ તસવીર પૂજા દરમિયાનની હોય એમ જણાય છે. જ્યારે અન્ય એક તસવીરમાં  તે દરવાજા પાસે ગૃહપ્રવેશની એક વિધી અનુસાર નાળિયેર વધેરતી જોવા મળે છે.


Google NewsGoogle News