અક્ષય કુમાર ફરી દેશભક્તિના શરણે, તિરંગાની રિમેકમાં કામ કરશે

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
અક્ષય કુમાર ફરી દેશભક્તિના શરણે, તિરંગાની રિમેકમાં કામ કરશે 1 - image


- સતત ફિલ્મો ફલોપ થતાં દેશભક્તિ યાદ આવી

- ફિલ્મના રાઈટ્સ વેચાયા છે, ટાઈટલના નહિ એટલે અક્ષયની ફિલ્મ જુદા નામે બનશે

મુંબઇ : છેલ્લા કેટલાય સમયથી ફલોપ પર ફલોપ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે ફરી દેશભક્તિનું શરણું લીધું છે. તેણે નાના પાટેકર અને રાજકુમારની જોડીની સુપર હિટ ફિલ્મ 'તિરંગા'ની રિમેકમાં કામ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ મૂળ મેહુલ કુમારે બનાવી હતી. તેમણે ફિલ્મના રાઈટ્સ નરેન્દ્ર હીરાવતને વેચી દીધા છે. જોકે, 'તિરંગા' ટાઈટલ હજુ પણ   મેહુલ કુમાર પાસે જ છે. આથી, અક્ષયની ફિલ્મની સ્ટોરી એ જ હશે તો પણ તેનું નામ 'તિરંગા' નહીં હોય. 

મેહુલ કુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર 'તિરંગા' એક સર્વકાલીન યાદગાર ફિલ્મ હતી. આવી ફિલ્મોની રિમેક ન બનવી જોઈએ. જોકે, આ મારો અભિપ્રાય છે. હવે જેમની પાસે રાઈટ્સ છે તે લોકો યોગ્ય ફેંસલો કરી શકે છે. અક્ષય કુમારે થોડાંક વર્ષો પહેલાં દેશભક્તિની થીમ હોય તેવી એક પછી એક એટલી બધી ફિલ્મો કરવા માંડી હતી કે લોકો તેને બોલીવૂડનો નવો મનોજ કુમાર કહેવા લાગ્યા હતા. 


Google NewsGoogle News