અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર પોતાની ફિલ્મોને ઊંધા માથે પછડાતા જોઇ એક ભાવુક પોસ્ટ શેર કરી
- ઇન્સ્ટાગ્રામ પર અભિનેતાએ એક ગઝલ શેર કરી છે જેને લોકો તેની નિષ્ફળતા સાથે જોડી રહ્યા છે
મુંબઇ : અક્ષય કુમારની છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ પર ફિલ્મો ઊંધા માથે પટકાઇરહી છે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સરફિરાને પણ બહુ નબળું ઓપનિંગ મળ્યુ હતું.આ પહેાલં સેલ્ફી, મિશન રાનીગંજ, બડે મિયાં છોટે મિયાં, સમ્રાટ પૃથ્વીરાજ જેવા નામો છે. આ દરમિયાન અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર એક ગઝલ શેર કરી છે, જેને સોશિયલ મીડિયાના યુઝર્સો તેની નિષ્ફળતા સાથે જોડી રહ્યા છે. જોકે તેના પ્રશંસકોએ તેને નારાજ ન થતાં હિંમત બંધાવી છે.જોકે અભિનેતાએ પોતાની આગામી ફિલ્મ ખેલ ખેલ મેંને ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા પણ અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેની નિષ્ફળ ફિલ્મો જોતાં જ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો ખુશ થતા હોય છે. ૩-૪ ફિલ્મો ન ચાલે ત્યારે ઇન્ડસ્ટ્રીના લોકોને ખુશી થાય છે. પછી જ્યારે પાંચમી ફિલ્મ નિષ્ફળ જાય ત્યારે લોકો તેનો આનંદ લેતા હોય છે. મેં આ બધુ જોયું છે કે જેના પિકચરો ફ્લોપ જતા હોય છે તેની ઇન્ડસ્ટ્રીના લોકો મજા લેતા હોય છે.
જોકે તેણે એ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યુંહતું કે ફિલ્મના પરિણામ વિશે વિચારતા પહેલા લોકોએ ફિલ્મમાંના પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવો જોઇએ અને સખત મહેનત કરવી જોઇએ.