દે દે પ્યાર દે ટૂમાં પણ અજય દેવગણ અને માધવન ટકરાશે

Updated: May 26th, 2024


Google NewsGoogle News
દે દે પ્યાર દે ટૂમાં પણ અજય  દેવગણ અને માધવન ટકરાશે 1 - image


- અગાઉ શૈતાન ફિલ્મમાં બંને સામસામે હતા

- ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરુ થશે અને આવતાં વર્ષે ઉનાળામાં રીલિઝ કરાશે 

મુંબઈ: અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે ટૂ'માં આર. માધવનની પણ એન્ટ્રી થઈ છે. થોડા સમય પહેલાં રીલિઝ થયેલી ફિલ્મ 'શૈતાન'માં બંને સામસામે આવ્યા હતા. હવે આ ફિલ્મમાં તેઓ ફરીથી ટકરાશે. 

 ફિલ્મના અન્ય કલાકારોમાં રકૂલ પ્રીતસિંહનો સમાવેશ થાય છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરુ થવાનું છે.  ફિલ્મ આવતાં વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. 

'શૈતાન'માં અજય દેવગણ અને માધવન એકબીજા સાથે દુશ્મનાવટભર્યા રોલમાં હતા. જોકે, આ ફિલ્મમાં તેમની ટક્કર હશે પરંતુ   તે કોમેડીથી ભરપૂર હશે. માધવન આ પ્રકારન  કોમેડી ફિલ્મો કરવામાં પણ સારી નિપુણતા ધરાવે છે તે અગાઉ 'તનુ વેડસ મનુ' ના બે ભાગ પરથી પુરવાર થઈ ચૂક્યું છે. 

માધવનવાળા રોલ માટે અગાઉ અનિલ કપૂરની વિચારણા થઈ હતી. પરંતુ, હવે માધવને તેનું સ્થાન લીધું છે. 

મૂળ ફિલ્મ 'દે દે પ્યાર દે'ની વાર્તા જ્યાં ખતમ થઈ હતી ત્યાંથી જ 'દે દે પ્યાર દે ટૂ'ની વાર્તા શરુ થશે. એક યુવતી તેનાથી મોટી વયના પુરુષના પ્રેમમાં પડે છે પછી કેવી સ્થિતિ સર્જાય છે તેવી ફિલ્મની વાર્તા આગળ વધારાશે. 


Google NewsGoogle News