ઐશ્વર્યાએ બચ્ચન પરિવારનો જલસા બંગલો છોડી દીધો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ઐશ્વર્યાએ બચ્ચન પરિવારનો જલસા બંગલો છોડી દીધો 1 - image


- જોકે, દીકરી આરાધ્યા ખાતર અભિષેકથી છૂટાછેડા નહીં લે

- શ્વેતા જલસામાં રહેવા આવી જતાં નારાજઃ ક્યારેક માતાના ઘરે તો ક્યારે અભિષેક સાથે રહે છેઃ જયા સાથે લાંબા સમયથી અબોલા

મુંબઇ : ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવારના 'જલસા' બંગલોમાં એક છત હેઠળ રહેવાનું છોડી દીધું છે. તે મોટાભાગે પોતાની માતા સાથે અને ક્યારેક અભિષેક સાથે રહે છે. જોકે, દીકરી આરાધ્યા ખાતર થઈને તે અને અભિષેક છૂટાછેડા લેવાનું ટાળી રહ્યાં છે. 

ઐશ્વર્યા ને બચ્ચન પરિવારના બાકીના સભ્યો સાથે અણબનાવ થયાનું લાંબા સમયથી ચર્ચાય છે. હવે નવી અફવા અનુસાર તેણે સમગ્ર બચ્ચન પરિવાર સાથે જલસા બંગલોમાં રહેવાનું છોડી દીધું છે અને મોટાભાગે તેની માતાના ઘરે જ રહે છે. ઐશ્વર્યાનો ગયા મહિને બર્થ ડે હતો ત્યારે પણ તેના મોટાભાગના વીડિયો માતા સાથેના જ જોવા મળ્યા હતા. 

જોકે, ક્યારેક ક્યારેક તે અભિષેક સાથે પણ રહે છે. શ્વેતાને સાસુ જયા તથા નણંદ શ્વેતા સાથે અણબનાવ છે પરંતુ તેના અને અભિષેક વચ્ચે બહુ કડવાશ નથી. 

સમગ્ર ઘરેલુ તકરારમાં અભિષેકની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ઐશ્વર્યા કદાચ અભિષેક સાથે છૂટાછેડા લઈ શકે છે તેવી અફવા લાંબા સમયથી છે. પરંતુ, બચ્ચન પરિવારના નજીકના સૂત્રોના હવાલાથી કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આટલા ઘરકંકાસ છતાં પણ આરાધ્યા ખાતર થઈને અભિષેક અને ઐશ્વર્યા ઓન પેપર છૂટાછેડા લેવાના મતના નથી. બોલીવૂડમાં મેરીડ કપલ એકબીજાથી અલગ રહેતાં હોય અને છૂટાછેડા પણ ન લીધા હોય તેવા અનેક દાખલા છે. અભિષેક અને ઐશ્વર્યા પણ થોડા સમય માટે આ જ પ્રણાલિ અનુસરે તેવું બની શકે છે. 

ઐશ્વર્યા અને જયા બચ્ચન વચ્ચે લાંબા સમયથી અબોલા થઈ ગયાં છે. તાજેતરમાં શ્વેતા પણ જલસા બંગલોમાં રહેવા આવી ગયા બાદ ઐશ્વર્યા વધારે નારાજ થઈ છે. અમિતાભે પોતાની પ્રતીક્ષા બંગલો પણ શ્વેતાના નામે કરી દીધો છે અને હવે શ્વેતા જલસા બંગલોમાં જ રહે છે તે વાત ઐશ્વર્યાને માફક આવી નથી. 

તાજેતરમાં શ્વેતાના દીકરા અગસ્ત્યની ડેબ્યૂ ફિલ્મ 'આર્ચીઝ'ના પ્રિમિયરમાં ઐશ્વર્યા સમગ્ર બચ્ચન પરિવાર સાથે હાજર રહી હતી પરંતુ જયા તથા શ્વેતા સહિતના અન્ય સભ્યોએ  ઐશ્વર્યાની ધરાર ઉપેક્ષા કરી હતી. આરાધ્યા પણ માતા સિવાય કોઈ સાથે હળતી ભળતી જણાતી ન હતી. 

ગત ઓક્ટોબરમાં અમિતાભના જન્મ દિવસ વખતે ઐશ્વર્યાએ અન્ય તમામ સભ્યોના ફોટા ક્રોપ કરીને માત્ર અમિતાભ અને આરાધ્યાનો ફોટો જ પોસ્ટ કર્યો હતો. આ પહેલાં કાન ફેસ્ટિવલમાં ઐશ્વર્યા અને નવ્યા નવેલી બંને એકસાથે હોવા છતાં ક્યાંય તેમણે સાથે ફોટો પોસ્ટ કર્યો ન હતો કે એકબીજાનો કોઈ ઉલ્લેખ પણ કર્યો ન હતો. 


Google NewsGoogle News