માફી બાદ હવે ત્રિશા સામે બદનક્ષી કેસની મન્સુરની ધમકી

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
માફી બાદ હવે ત્રિશા સામે બદનક્ષી કેસની મન્સુરની ધમકી 1 - image


- રેપસીનના ઉચ્ચારણોના વિવાદમાં  ટ્વિસ્ટ

- પોતાના ઉચ્ચારણોને ખોટી રીતે રજૂ કરી બદનામ કરાયો હોવાનો આક્ષેપ

મુંબઇ : ફિલ્મ 'લિયો'માં પોતાને ત્રિશા સાથે રેપ સીન કરવા ન મળ્યો તેનો અફસોસ છે તેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા મન્સૂર અલી ખાને થોડા દિવસો પહેલાં હિરોઈન ત્રિશાની જાહેર માફી માગી હતી. 

જોકે, માફી  માગ્યાના થોડા સમયમાં જ મન્સૂર અલી ખાને હવે ફેરવી તોળ્યું છે. તેણે જાહેર કર્યું હતું કે પોતે ત્રિશા ઉપરાંત પોતાના વિરુદ્ધ નિવેદનો કરનારા ચિરંજીવી તથા ખુશ્બુ પર પણ માનહાનિનો દાવો કરશે.   મન્સૂરે  એવો પણ આરોપ મુક્યો છે કે, તેના વિરુદ્ધ ધમાલનું કાવતરું રચાયું હતું. 

મન્સૂર અલી ખાને વધુમાં કહ્યુ  હતુ કે, પોતાની  વાતને ખોટી રીતે પ્રસારિત અને પ્રચારિત કરવામાં આવી છે. તે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે અસલી વીડિયો અને અન્ય પુરાવાઓ રજુ કરશે.

મન્સૂર ખાને એવું કહ્યુ ંહોવાનું કહેવાય છે કે પોતે ઘણી ફિલ્મોમાં હિરોઈનો સાથે રેપ સીન કર્યો છે પરંતુ ત્રિશા સાથે રેપ સીન કરવા ન મળ્યો તેનો અફસોસ છે. આ નિવેદન બદલ મન્સૂર સામે પોલીસ કેસ પણ થયો છે. ત્રિશાએ તેની સાથે ક્યારેય સ્ક્રીન શેર નહીં કરવાની વાત ઉચ્ચારી છે. જ્યારે તમિલ ફિલ્મના કલાકારોના સંગઠનોએ તેના પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.


Google NewsGoogle News