પરિણીતી ચોપરાનું લગ્ન બાદ અભિનયને અલવિદા, હવે આ ક્ષેત્રમાં બનાવશે કારકિર્દી

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
પરિણીતી ચોપરાનું લગ્ન બાદ અભિનયને અલવિદા, હવે આ ક્ષેત્રમાં બનાવશે કારકિર્દી 1 - image


નવી મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2024, ગુરુવાર 

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાના રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન બાદ અભિનેત્રીના ફિલ્મી કરિયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે હવે એકટ્રેસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેના ફેન્સ ચોંકી શકે છે. ઘણા લોકો મએવુ અનુમાન લગાવી રહ્યાં હતા કે, પરિણીતી રાજકારણમાં જોડાવા જઈ રહી છે.

આ વાતની માહિતી ખુદ એકટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે જણાવ્યું કે, તે કયા ફિલ્ડમાં પોતાનું કરિયર આગળ વધારશે. 

અભિનેત્રીએ આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોટી જાહેરાત કરી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા કહ્યું કે, હવે તે સિંગિંગમાં તેની કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે.


Google NewsGoogle News