એકટ્રેસ જાહ્નવી કપૂરની તબીયત બગડતાં મુંબઇની હોસ્પિટલમાં દાખલ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Janhvi Kapoor

Image:Instagram 

Janhvi Kapoor Hospitalised: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અંબાણીના લગ્નમાં તેના લુકને કારણે ચર્ચામાં હતી. પીકોક ડ્રેસથી લઈને એક્ટ્રેસના ગોલ્ડન લહેંગા સુધી તેણે ઘણી લાઈમલાઈટ જકડી હતી. આ દરમિયાન બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પણ જોવા મળી હતી.

મળતી માહિતી પ્રમાણે બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની તબિયત ખરાબ થતા એકટ્રેસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીને ફૂડ પોઈઝનિંગ થવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે અને તેના કારણે સાઉથ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

અહેવાલ અનુસાર જાહ્નવી કપૂર ચેન્નાઈ ગઈ હતી અને મંગળવારે ત્યાંથી પરત ફરતી વખતે એરપોર્ટ પર કંઈક ખાધું હતું. ઘરે આવ્યા બાદ જાહ્નવીની તબિયત લથડી હતી અને ગઈકાલે ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. વધુ કમજોરી લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

એકટ્રેસ જાહ્નવી કપૂરની તબીયત બગડતાં મુંબઇની હોસ્પિટલમાં દાખલ 2 - image

સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં જાહ્નવી કપૂરની તબિયત સારી છે. અભિનેત્રીને શુક્રવાર સુધીમાં હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ઉલઝને લઈને ચર્ચામાં છે. જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ 'ઉલજ' (Ulajh)નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ 2 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, સુધાંશુ સારિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે અભિનેતા ગુલશન દેવૈયા લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રોશન મેથ્યુ અને આદિલ હુસૈન જેવા કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે. 


Google NewsGoogle News