આમિર લોકેશ કનગરાજની પાન ઈન્ડિયા ફિલ્મ કરે તેવી સંભાવના

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
આમિર લોકેશ કનગરાજની પાન ઈન્ડિયા ફિલ્મ કરે તેવી સંભાવના 1 - image


- આમિર એક એક્શન ફિલ્મની ફિરાકમાં

- લાંબા સમયથી આમિર સાઉથના ટોચના ડાયરેક્ટરો સાથે વાતચીત કરી રહ્યો છે

મુંબઇ : આમિર ખાન સાઉથના ટોચના ડાયરેક્ટર લોકેશ કનગરાજની એક ફિલ્મમાં કામ કરે તેવી સંભાવના છે. બંને વચ્ચે આ પ્રોજેક્ટ માટે પ્રાથમિક વાતચીત થઈ ચૂકી છે. 

આ ફિલ્મ પાન ઈન્ડિયા સ્તરની હશે. તે સાઉથની ભાષાઓ સાથે હિંદીમાં પણ બનાવાશે. સાઉથના અન્ય ટોચના  સ્ટાર્સ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. 

જોકે, હજુ પ્રોજેક્ટ ,કાસ્ટ કે સ્ટોરી અંગે કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ, એવું મનાય છે કે આ લોકેશની સ્ટાઈલ પ્રમાણેની એક્શન ફિલ્મ હશે. 

શાહરુખ ખાનને તેની નવી ઈનિંગમાં એક્શન ફિલ્મોમાં સફળતા મળી તે પછી આમિર ખાન પણ કોઈ એક્શન રોલ મેળવવાની ફિરાકમાં છે. આ માટે તેણે સાઉથના એક્શન મૂવીઝ બનાવવા માટે જાણીતા અનેક ડાયરેક્ટરોનો સંપર્ક કર્યો છે. આખરે લોકેશ કનગરાજ સાથે તેની વાતચીતમાં પ્રગતિ થઈ હોવાનું કહેવાય છે. 

આમિર ખાન તેની 'લાલ સિંહ ચઢ્ઢા'ની નિષ્ફળતાથી એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેણે એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો હતો. જોકે, તેની આગામી ફિલ્મ 'સિતારે ઝમીન પર' આ ડિસેમ્બરમાં રજૂ થવાની છે. 

Aamir-Khan

Google NewsGoogle News