આમિર ખાને પુત્ર જુનૈદના ડેબ્યુનું કર્યું એલાન, એક્ટર નહીં પરંતુ પ્રોડ્યુસર તરીકે કરશે શરૂઆત
Image Source: Twitter
- આમિર ખાન આગામી સમયમાં ત્રણ ફિલ્મો પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે
- જુનૈદ ખાન 'પ્રિતમ પ્યારે' ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023, બુધવાર
આમિર ખાન પોતાના મલ્ટીપલ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં રહે છે. લાલ સિંહ ચઢ્ઢા બાદ હવે અભિનેતા એક સાથે ત્રણ ફિલ્મો પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. જેમાં તેમના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મો પણ સામેલ છે. સુપરસ્ટારે પોતાના પુત્રના ફિલ્મી કરિયરનું એલાન કર્યું છે.
આમિર ખાને તાજેતરમાં જ એક ન્યૂઝ ચેનલના કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે તેના મોટા પુત્ર જુનૈદ ખાન વિશે વાત કરી હતી. અભિનેતાએ જણાવ્યું કે, તેનો પુત્ર પ્રોડ્યુસર તરીકે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. જુનૈદ ખાન 'પ્રિતમ પ્યારે' ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે.
પુત્ર વિશે શું બોલ્યો આમાર ખાન
આ દરમિયાન આમિર ખાને જણાવ્યું કે, એક નિર્માતા તરીકે જુનૈદ મારા પિતાની જેમ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. હું નવા ડાયરેક્ટર અને નવી ટીમ સાથે તેના કામથી ખુશ છું. હું તેની ફિલ્મમાં 5 મિનિટનો કેમિયો કરવાનો છું.
જુનૈદ ખાનની વાત કરીએ તો સિનેમામાં એન્ટ્રી કરતા પહેલા તેણે થિયેટરની દુનિયાને છ વર્ષ આપ્યા હતા. તેની થીએટ્રિકલ જર્ની ઓગસ્ટ 2017 માં દિગ્દર્શક ક્વાસર ઠાકોર પદમસીના બર્ટોલ્ટ બ્રેખ્તના 'મધર કરેજ એન્ડ હર ચિલ્ડ્રન' ના સાથે શરૂ થઈ હતી જે યુદ્ધની સંવેદનહીનતાને પ્રકાશિત કરતું એક દમદાર વ્યંગ્ય હતું.
આમિર ખાન 3 ફિલ્મો પ્રોડ્યૂસ કરશે
આમિર ખાન આગામી સમયમાં ત્રણ ફિલ્મો પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. જેમાં કિરણ રાવના ડાયરેક્શનમાં બનેલી 'લાપતા લેડીઝ' અને પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ 'પ્રિતમ પ્યારે' સામેલ છે. ત્રીજી ફિલ્મ વિશે વાત કરીએ તો તે સની દેઓલ સ્ટારર ફિલ્મ લાહોર 1947 છે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરશે. તાજેતરમાં જ તેમણે આ ફિલ્મનુ એલાન કર્યું હતું. આ ફિલ્મે પણ ઘણી ચર્ચામાં રહી હતી કારણ કે, આ પહેલીવાર હશે જ્યારે આમિર ખાન સની દેઓલને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરશે.