Get The App

મહાભારત ફિલ્મ અંગે આમિર ખાનનું મોટું નિવેદન, કહ્યું- મને ખબર નથી, હું અભિનય કરીશ કે નહીં

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
મહાભારત ફિલ્મ અંગે આમિર ખાનનું મોટું નિવેદન, કહ્યું- મને ખબર નથી, હું અભિનય કરીશ કે નહીં 1 - image


Aamir Khan To Start Work On Mahabharat : મહાભારત ફિલ્મને લઈને આમિર ખાન ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને આમિર ઘણા સમયથી પ્લાન કરી રહ્યો હતો. ફિલ્મ અંગે ઘણી અફવાઓ પણ આવી છે, પરંતુ હવે આમિરે પોતે આ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, 'ફિલ્મ મહાભારત મારો સૌથી મોટો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે, જે હું આ વર્ષથી તેના પર કામ શરૂ કરી દઈશ.' પરંતુ તેમનું કહેવું છે કે, 'મને હજુ ખબર નથી કે હું તેમાં અભિનય કરશે કે નહીં.'

આ પણ વાંચો : બ્રાહ્મણો વિશે અભદ્ર ટિપ્પણી બાદ અનુરાગ કશ્યપને પસ્તાવો, કહ્યું- માફ કરો ગુસ્સામાં બોલાઈ ગયું

મહાભારત વિશે શું કહ્યુ આમિર ખાને

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું, 'હું આ વર્ષથી જ આ પ્રોજેક્ટ પર કામ શરુ કરી રહ્યો છું. ફિલ્મોની જેમ મહાભારતને પણ વિવિધ ભાગોમાં બનાવવામાં આવશે, જેમ કે, 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'. પરંતુ લખવામાં થોડો સમય લાગશે.

આ પણ વાંચો: સૈફ અલી ખાને આ દેશમાં ખરીદ્યું બીજું ઘર, કહ્યું- સુરક્ષાન કારણે અહીં રહેવાનો અલગ જ અનુભવ

ફિલ્મમાં હશે એકથી વધુ દિગ્દર્શકો

આમિરે કહ્યું કે, 'હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, તે મહાભારતમાં કામ કરશે કે નહીં. અને રોલ પ્રમાણે ટીમ કલાકારોને નક્કી કરશે. હવે એ જોવાનું રહ્યુ કે, કોણ ક્યા ભાગ માટે પરફેક્ટ છે. તેમણે એમ પણ કહ્યું , કે તેઓ આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે કારણ કે તે એક મોટો પ્રોજેક્ટ હશે. આ એક મલ્ટી-ડિરેક્ટર પ્રોજેક્ટ હશે.


Tags :