અભિનેતા દેવ આનંદના 40 વર્ષ જૂના ઘરની જગ્યા એ બંધવામાં આવશે 22 માળાની બિલ્ડિંગ
- આ જુહુ સ્થિત બંગલો આ અંદાજે 400 કરોડ રૂપિયામાં વેચાયો હોવાનું સૂત્રો દ્વાર જાણવા મળ્યું છે
બોલીવુડના અભિનેતા દેવ આનંદનું ૪૦ વર્ષ જૂના ઘરની જગ્યાની જગ્યા વેચાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વેચાયેલી જગ્યાએ ૨૨ માળાની બિલ્ડિંગ બનવાની માહિતી રીયલ ઈસ્ટેટ કંપની દ્વારા આપવામાં આવી હતી. અનેક સમયથી આ ઘર અને જગ્યાની સંભાળ લેનારની અછત હોવાને કારણે આ જગ્યાને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બંગલામાં સ્વર્ગસ્થ અભિનેતા દેવ આનંદ તેમની પત્ની કલ્પના કાતક અને બાળકો સુનીલ અને દેવીના આનંદ સાથે અનેક વર્ષો સુધી રહ્યા હતા. આ બંગલાની જગ્યા ૩૫૦-૪૦૦ કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ બંગલો મુંબઈના પોર્શ એરિયામાં આવ્યો છે. માધુરી દીક્ષિત નેને અને ડિમ્પલ કાપડિયા જેવા મોટા બોલિવૂડના અભિનેતાઓ પણ આ વિસ્તારમાં રહેતા હતા.
દેવ આનંદનો પુત્ર સુનીલ અમેરિકામાં રહે છે અને દેવીના તેમની માતા સાથે ઊટીમાં રહે છે. દેવ આનંદની પનવેલમાં આવેલી મિલકત પણ સમાન કારણોસર વેચવામાં આવી હતી. એક દાયકા પહેલા દેવ આનંદના સ્ટુડિયોના વેચાણમાંથી મળેલા રકમથી સુનીલ અને દેવીના અને કલ્પએ ત્રણ એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.