સુદામા દરિદ્ર હોવાનું કારણ
- બ્રાહ્મણ માગે અને મગવે વાક્ય ની ખરી સમજ
સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાાની હતા તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી બધું રહસ્ય જાણી ગયા. સુદામાએ વિચાર કર્યો ગુરુમાતા એ કહ્યું છે કે, આ ચણા બન્ને બરાબર વહેંચી ને ખાજો પણ આ ચણા તો શ્રાપિત છે
સુ દામાના સંબંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું/કથાકારો દ્વારા વાંચવા/સાંભળવા મલે છે... કે સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં પોતાના બાલ સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ?
આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું જે દરેકે સમજવું જરૂરી છ જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ આવે. ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહું જ મોટી રોચક અને ત્યાગ-પૂર્ણ કથા છે... એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોશી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી. એક સમય એવો આવ્યો કે, તેને પાંચ દિવસ ભિક્ષા ન મળી તે રોજ પાણી પી ને ભગવાન નું નામ લઇ સૂઇ જતી છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠી ચણા મલ્યા પોતાની ઝુંપડી પહોંચતા પહોંચતા રાત થઇ ગઇ ડોશી એ વિચાર કર્યો કે, આ ચણા અત્યારે નહિ, સવારે ઠાકોરજી ને ભોગ લગાવીને ખઇશ આવો વિચાર કરી ચણા કપડાંમાં બાંધી રાખી દિધા. અને વાસુદેવનું નામ જપતાં જપતાં સૂઇ ગઇ ડોશીના સૂતા પછી એક ચોર ચોરી કરવા માટે તેની ઝુંપડીમાં આવ્યો ચોરે ચણાંની પોટલી જોઇ સમજ્યો કે આમાં સોના ના સિક્કા બાંધ્યા છે અતઃ તેને ઉપાડી લિધી ચોરનો પગરવ સાંભળી ડોશી જાગી ગઇ. અને બૂમો પાડવા લાગી બૂમો સાંભળી આજૂબાજૂના લોકો એકઠાં થઇ ગયા બધા ચોરને પકડવાં દોડયા ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે પકડાઇ જવાના ભયથી તે સાંદીપન મુનિના આશ્રમમાં છુપાઇ ગયો આ સાંદીપન મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા. ચોરનો પગરવ સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઇ આશ્રમમાં આવ્યું છે
ગુરુમાતા એ પોકાર કર્યો- કોણ છે ?
ગુરુમાતાને પોતાની તરફ આવતાં જોઇ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયા
આ બાજૂ ભૂખથી વ્યાકુળ ડોશીએ જાણ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ભાગી ગયો છે
તો તેણે શ્રાપ આપ્યો
''મૂજ દીનહીન અસહાયના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે".આ બાજૂ આશ્રમમાં ઝાડૂ લગાવતાં સમયે ગુરુમાતાને તે ચણાની પોટલી મળી ગુરુમાતાએ પોટલી ખોલી ને જોયું તો તેમાં ચણા હતા તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વીણવા જઇ રહ્યા હતા ગુરુમાતા એ તે ચણાની પોટલી સુદામાને દેતાં કહ્યું
''બેટા ! જ્યારે ભૂખ લાગે તો તમે બન્ને આ ચણા ખાજો''
સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાાની હતા તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી બધું રહસ્ય જાણી ગયા. સુદામાએ વિચાર કર્યો ગુરુમાતા એ કહ્યું છે કે, આ ચણા બન્ને બરાબર વહેંચી ને ખાજો પણ આ ચણા તો શ્રાપિત છે
જો હું આ ચણા ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે ત્રણે લોક દરિદ્ર થઇ જશે નહિ-નહિ હું આવું હરગિઝ નહિ થવા દઉં
મારા જીવિત રહેતાં ''પ્રભુ" દરિદ્ર થાય ! એવું હું કદાપિ નહિ કરું!હું આ ચણા ખાઇ જઇશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં ! અને સુદામાએ કૃષ્ણથી છુપાવીને બધા ચણા ખાઇ લીધા.
અભિશ્રાપિત ચણા ખાઇને સુદામાએ દરિદ્રતા વ્હોરી લીધી પણ પોતાના સખા શ્રીકૃષ્ણ ને બચાવી લીધા અદ્વિતીય ત્યાગનું ઉદાહરણ પ્રસ્તુત કરવા વ્હાલા સુદામાએ ચોરી-છુપી ચણા ખાવાનો અપયશ પણ સહન કર્યો
તો બહું અન્યાયી ગેરસમજણ દેતી કથાની ખરી હકિકત સમજાવતા ગહન શંકાનું નિવારણ થયું.
હવે ખબર પડી કે કૃષ્ણને પટરાણીઓ કરતાંય રાજ પાટ કરતાંય સુદામો જ કેમ વહાલો હતો ?o
એ કાનો કાનુડો તો હતો જ પણ એ યુગપુરુષ પણ હતો.
સુદામા ના ત્યાગનો, ઉપકારનો , પ્રેમનો બદલો ચૂકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો
પરમ જ્ઞાાની વિદ્વાન વિપ્ર મિત્ર ના પ્રેમ માટે તરસતો રહ્યો, તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો
ઉઘાડા પગે દોટ મૂકી એ દ્વારિકા ના ધણી એ એને છાતી સરસો ચાંપવા માટે તો
પટરાણીઓ સામે એ મેલા ઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ઘોયા લૂછયા ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથ એ વિરાટસ્વરુપે
તાંદુલ ચાવીને દરિદ્રતા ટાળવા સંકલ્પ બદ્ધ થયા એ સખા કેશવ એ મિત્ર માધવ
મિત્રતાની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણ એ બધા માપને , પરિમાણને પણ વામણા બનાવી દીધા કિંવદંતિમાં અજ્ઞાાનીઓએ વક્રઉક્તિ એ બનાવી કે- 'બ્રાહ્મણ માગે અને મગવે' પણ મૂરખ મતિ ધરાવનાર એ સમાજનો દંભી બુદ્ધિજીવી વર્ગ ઉપાલંભમાં જ, પોતાનું જ મુખ જોવા એ દર્પણ ને ટાળતો રહ્યો કે સાચો બ્રાહ્મણ તો પ્રૈમવશ (સંબંધ ) ત્યાગ માગે અને પ્રેમપૂર્ણ ( સંબંધ ) નિભાવ મગવે