Get The App

હનુમાન જયંતિ: 16 મી સદીમાં બનેલું ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર વર્ષોથી છે લોકોની આસ્થાનું કેન્દ્ર

Updated: Apr 5th, 2023


Google NewsGoogle News
હનુમાન જયંતિ: 16 મી સદીમાં બનેલું ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર વર્ષોથી છે લોકોની આસ્થાનું કેન્દ્ર 1 - image

સુરત,તા.5 એપ્રિલ 2023,બુધવાર

હનુમાન જયંતિની શહેરમાં ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતના ડુંભાલમાં 16 મી સદીમાં બનેલું ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માર્ગ શિર્ષ શુક્લ નવમીના રોજ છત્રપતિ શિવાજી મહારાજના ગુરૂ સમર્થ રામદાસજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. આ પ્રાચીન મંદિરની આસપાસ આજે ઘણા એપાર્ટમેન્ટ બની ગયા છે પરંતુ તેનું સ્થાન અને તેની આસ્થા આજે પણ અકબંધ છે.

હનુમાન જયંતિ: 16 મી સદીમાં બનેલું ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર વર્ષોથી છે લોકોની આસ્થાનું કેન્દ્ર 2 - image

મંદિરના પૂજારી મહંત જતીનગીરી ગોસ્વામી મંદિરનો ઇતિહાસ જણાવતા કહયું કે મારા દાદા પરદાદા મંદિરના પૂજારી હતા. મોટેભાગે હનુમાનજીના મંદિર દક્ષિણમુખી હોય છે પરંતુ આ મંદિર ઉત્તરમુખી છે શિવાજી સાપુતારાના માર્ગ નવસારીના ચિત્રા ગામે જઇને સુરત આવ્યા ત્યારે ડુભાલમાં તેમના ગુરુજીએ બનાવેલા આ મંદિરમાં રોકાયા હતા. 6 જાન્યુઆરી 1664માં શિવાજી અહીં આવ્યા હતા જ્યા મંદિરની બાજુમાં તેમને એક ગુફા પણ બનાવડાવી હતી. જે મંદિર થી 10 કિલોમીટર દૂર ચોકબજાર સ્થિત કિલ્લામાં ખુલે છે. કુશળ નેતૃત્વ, ગુરૂ અને માતૃ ભક્ત શિવાજીએ આ ગુફાનું નિર્માણ એ રીતે કરાવ્યું હતું કે તત્કાલીન સુરતના 11 માં દરવાજા પર ઉભેલા સૈનિકોને પણ તેની ખબર પડી નહોતી. જો કે આજે આટલા વર્ષો પછી પુરને કારણે આ ગુફા બંધ થઈ ગઈ છે. હનુમાનજીના મંદિરમાં આવેલી આ ગુફા મારા દાદાજીએ. જોઈ હતી. આ ગુફામાં 100 વ્યક્તિઓ સમાઈ શકે એટલો મોટો રૂમ હતો. તેમજ ઘોડેસવાર પણ પસાર થઈ શકે એટલી મોટી હતી. આ ગુફાના રસ્તે જ શિવાજીએ ઔરંગઝેબના નાણાં મંત્રી એનાયતખાન જે સુરતમાં તે સમયે રાજ કરતો હતો એને સંદેશો મોકલ્યો હતો. આજે પણ મંદિરમાં સમર્થ ગુરૂ રામદાસની પાદુકા યજ્ઞક્ષેત્ર અને શિવાજી મહારાજે બનાવેલી ગુફા કે જે પુરાઈ ગઈ છે તેના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આ આવે છે. 

હનુમાનજીના સ્થાનકની સાથે સાથે શિવાજીએ બનાવેલ ગુફામાં શ્રી લલિતા યંત્રની પણ સ્થાપના કરવામાં આવી છે. જે અંદાજે 300 થી વધુ વર્ષ જૂનું છે. જેની સ્થાપના એક મહાન સાધુએ કરી હતી. હનુમાનજી ને યંત્ર સ્વરૂપે પૂજન કરી શકાય તે માટે તેમણે આ યંત્રની સ્થાપના કરી હતી અને આ યંત્ર એક જ લાકડામાંથી બન્યું છે. જેની પૂજા પુષ્યનક્ષત્રમાં જ કરવામાં આવે છે.


Google NewsGoogle News