દસ્તાવેજના પાને-પાને જયશ્રી રામ લખીને સબ રજીસ્ટાર સમક્ષ નોંધાવેલ દસ્તાવેજ

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
દસ્તાવેજના પાને-પાને જયશ્રી રામ લખીને સબ રજીસ્ટાર સમક્ષ નોંધાવેલ દસ્તાવેજ 1 - image

સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં દસ્તાવેજ નોંધણીમાં પણ શ્રી રામના દર્શન થયા હોય તેમ પાને પાને શ્રીરામ લખીને દસ્તાવેજ નોંધણી કરાવી હતી.

આ દસ્તાવેજની નોંધણીને લઈને સુરતમાં વકીલાત કરતા પ્રણવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમને ત્યાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ ધરમ રબારીએ પોતાના નિવાસ્થાનના ખરીદીના દસ્તાવેજની એપોઇન્ટમેન્ટ તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ ખાસ લીધેલ હતી. અને દસ્તાવેજમાં દરેક પાને લખાણની શરૂઆત જય શ્રી રામ થી કરી અનોખી રીતે તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ પોતાના દસ્તાવેજની નોંધણી સબ રજીસ્ટાર શ્રી રૂબરૂ ભગવા કુર્તા પહેરી જય શ્રી રામના નારા સાથે કરાવી હતી


Google NewsGoogle News