વિવાદ વધુ વકરે તે પહેલા સુરતના ઉપશાસનાધિકારીએ પરિપત્ર જ બદલી નાખ્યો
- શાળાના કાર્યક્રમમાં હાજરી માટે ફરજિયાત અને કાર્યકરો શબ્દની બાદબાકી કરી નવો પરિપત્ર જાહેર
- ઉપશાસનાધિકારીએ જુના પરિપત્રમાં ચુંટાયેલા પ્રતિનિધિ સાથે કાર્યકરોને ફરજ્યાત આમંત્રણનો આદેશ કર્યો હતો વિવાદ જોતાં કાર્યકરોને આમંત્રણ શબ્દ કાઢવા સાથે શાળા કક્ષાએથી થતા કાર્યક્રમોની જાણ કરવાનો ઉલ્લેખ કરવો પડ્યો
સુરત,તા.15 માર્ચ 2023,બુધવાર
વિવાદનો પર્યાય બની ચૂકેલી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળાના કાર્યક્રમોમાં રાજકીય પક્ષના કાર્યકરોને ફરજિયાત આમત્રણ આપી પ્રોટોકોલ જાળવવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર બહાર પડતાં જ વિવાદ શરૂ થયો હતો અને આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીએ જુનો પરિપત્ર પરત ખેંચી નવો પરિપત્ર જાહેર કરીને નવા પરિપત્રમાં કાર્યકરોને આમંત્રણ શબ્દ બાદ કરવા સાથે ફરજિયાત આમંત્રણ શબ્દ કાઢીને શાળાએ થતાં કાર્યક્રમની જાણ કરવાનો ઉલ્લેખ કરી દીધો છે.
આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીએ શાળા કક્ષાએ થતા કાર્યક્રમમાં આમંત્રણ માટે બીજો નવો પરિપત્ર જાહેર કરી દીધો છે. આ નવા પરિપત્રમાં શાળા કક્ષાએ થતાં કાર્યક્રમોમાં શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ અને નગર સેવક ને આમંત્રણ આપવું અને ટેલિફોનીક જાણ કરીને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો ઉલ્લેખ કરાયો છે. પહેલા પરિપત્રમાં જે વિવાદ થયો હતો તેવા કાર્યકરોને આમંત્રણ આપવું અને ફરજિયાત આમંત્રણ આપવું તે શબ્દ કાઢીને નવો પરિપત્ર જાહેર કરી તેનો અમલ કરવા માટે સુચના તમામ શાળાઓને આપી દેવામાં આવી છે.