પરિણીતીએ વિદ્યા બાલન પાસેથી શું પ્રેરણા લીધી?

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
પરિણીતીએ વિદ્યા બાલન પાસેથી શું પ્રેરણા લીધી? 1 - image


- 'મેં 'ચમકીલા' માટે 15 કિલો વજન વધાર્યું હતું. એને લીધે લોકોને શંકા ગઈ કે હું પ્રેગ્નન્ટ છું. મને કેટલાય લોકોએ સલાહ આપી હતી કે વજન વધારવાની ભૂલ કરતી નહીં, તારી કરીઅર પર એની માઠી અસર પડશે, પણ...' 

બોલિવુડમાં કોઈ અભિનેત્રી પરણે એટલે એકાદ વરસમાં જ એને સારા દિવસો જતા હોવાની ગોસિપ શરૂ થઈ જાય છે. આમ આદમી પાર્ટીના યુવાન નેતા રાઘવ ચઢ્ઢા સાથે મેરેજ કરનાર પરિણીતી ચોપડા પણ પ્રેગ્નન્સીની અફવાનો થોડા અરસા પહેલા શિકાર બની હતી. હવે એણે પોતાનું મૌન તોડયું છે. એક્ટરે ખુલાસો કર્યો છે કે, 'મેં મારી દલજિત સાથેની ફિલ્મ 'અમરસિંહ ચમકીલા' માટે ૧૫ કિલો વજન વધાર્યું હતું. એને લીધે લોકોને એવી શંકા ગઈ કે હું પ્રેગ્નન્ટ છું. મને કેટલાય લોકોએ સલાહ આપી હતી કે વજન વધારવાની ભૂલ કરતી નહીં, તારી કરીઅર પર એની માઠી અસર પડશે, પણ મેં વિદ્યા બાલનનો દાખલો નજર સામે રાખીને આ પડકાર સ્વીકારી લીધો. વિદ્યાએ સાઉથની સેક્સી સુપરસ્ટાર સિલ્ક સ્મિતાની બાયોપિક 'ડર્ટી પિક્ચર'માં લીડ રોલ કરવા આવો જ પડકાર ઝીલ્યો હતો. 'ચમકીલા'ની શુટિંગ માટે મેં વરસ સુધી વજન વધારી રાખ્યું એને કારણે મારા હાથમાંથી ઘણું કામ નીકળી ગયું. હું ઘણી કદરૂપી પણ દેખાવા માંડી અને એ કારણે જ મારી પ્રેગ્નન્સી અને પ્લાસ્ટિક સર્જરીની અફવા ફેલાઈ.'

આ પહેલા પણ પરિણીતીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર ફેન્સ સાથે એવી માહિતી શેર કરી હતી કે મારું વજન વધારવા હું ઘણું બધું જંક ફૂડ ખાતી હતી, પરંતુ હવે હું પાછી ચુસ્તદુરસ્ત બનવા માટે જિમમાં ઘણો પરસેવો પાડી રહી છું. 

પરિણીતીનો 'ચમકીલા'નો અભિનય વખણાયો છે એટલે એની મહેનત સફળ થઈ છે એ તો નક્કી.


Google NewsGoogle News