રૉનિત રૉયે પત્ની નીલમ સાથે ફરી ફેરા ફર્યા

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
રૉનિત રૉયે પત્ની નીલમ સાથે ફરી ફેરા ફર્યા 1 - image


- રૉનિત અને નીલમે ૨૦૦૩માં લગ્ન કર્યાં હતાં. તે વખતે જ નીલમે કહી દીધું હતું કે રૉનિત, હું લગ્ન કરીને માતા બનવા માગું છું. મારે તો હાઉસવાઇફ બનીને જ રહેવું છે.

ટચૂકડા પડદાના અમિતાભ બચ્ચન તરીકે જાણીતો અભિનેતા રૉનિત રૉય સુખી વિવાહિત જીવન ગાળી રહ્યો છે. મઝાની વાત એ છે કે તાજેતરમાં આવેલી તેની ૨૦મી લગ્ન તિથિએ રૉેનિત ફરીથી પરણ્યો. અલબત્ત, પોતાની પત્ની નીલમ સાથે જ. અને તેણે વધુ એક વખત હનીમૂન પર જવાનું આયોજન પણ કર્યું છે.

અભિનેતા કહે છે કે અમને ફરીથી લગ્ન કરવાની બહુ મઝા આવી. અમે ફરીથી હનીમૂન પર પણ જઈશું. એમ્સ્ટરડેમ નીલમનું પ્રિય સ્થળ છે. અમારું ફરીથી હનીમૂન પર જવું કદાચ મૂર્ખતાભર્યું ઠરે. પરંતુ આ વર્ષો દરમિયાન અમે અમારાં સંતાનોને લીધા વિના ક્યારેય ફરવા નથી ગયાં. પરંતુ હવે અમે બંને જ સહેલગાહે જઈશું. આનું કારણ આપતં રૉનિત કહે છે કે મારી પુત્રી લૉસ એન્જલસમાં અભ્યાસ કરી રહી છે અને મારો પુત્ર પણ ટૂંક સમયમાં વિદેશ જવાનો છે.

પોતાના લગ્ન સમારોહની વિગતવાર જાણકારી આપતાં રૉનિત કહે છે કે અમે ગોવા ખાતેના અમારા ફાર્મહાઉસમાં ફરીથી ફેરા ફર્યાં હતાં. આ વિધિ અમારા માટે શમણું સાકાર થવા બરાબર હતી. 

વાસ્તવમાં નીલમ ઘણાં વખતથી આ રીતે ફરીથી ફેરા ફરવા માગતી હતી. હું પણ તેની ઇચ્છામાં સહભાગી હતો. અમારા ગોવા ખાતેના ફાર્મહાઉસમાં આવેલા મંદિરમાં અમે અવારનવાર પૂજા કરીએ છીએ. નીલમ અહીં જ ફરીથી લગ્નની વિધિ કરવા ઇચ્છતી હતી. તેથી આ વખતની ગોવાની મુલાકાત દરમિયાન અમે વધુ એક વખત ફેરા ફરવાનું આયોજન કર્યું. નીલમના પરિવારે ત્યાં ઉપસ્થિતિ નોંધાવીને તેને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. તેવી જ રીતે મારી માતા ક્યારેય, ક્યાંય નથી જતી તે પણ અમને આશીર્વાદ આપવા ત્યાં આવી હતી. અમારાં સંતાનો પણ અમને ફરીથી લગ્ન ગાંઠે બંધાતા જોઈને ખુશ થઈ ગયાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે રૉનિત અને નીલમે વર્ષ ૨૦૦૩માં લગ્ન કર્યાં હતાં. અભિનેતાએ કહ્યું હતું કે ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી મેં અને નીલમે અમારો સંસાર માંડયો હતો. તે વખતે મેં નીલમને તેના ભાવિ આયોજનો વિશે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે હું લગ્ન કરીને માતા બનવા માગું છું. મને ગૃહિણી બનીને રહેવું છે. ઘર સંભાળવું એ પણ બહુ મોટું કામ છે.

રૉનિતે વધુમાં કહ્યું હતું કે અમારી વચ્ચે પણ મતભેદ, લડાઈ-ઝગડાં થયાં છે. પરંતુ અમે તેનો ઉકેલ લાવીને અમારા વિવાહિત જીવનને વધુને વધુ મજબૂત બનાવ્યું છે. નીલમ અમારા ઘરની કરોડરજ્જુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નીલમ ેરૉનિતની બીજી પત્ની છે. પ્રથમ લગ્નથી રોહિતને એક દીકરી 

પણ છે.  


Google NewsGoogle News