mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નિમ્રત કૌર અહલુવાલિયાનું થ્રિલર ફિલ્મથી બોલિવુડમાં પદાર્પણ

Updated: Jun 6th, 2024

નિમ્રત કૌર અહલુવાલિયાનું થ્રિલર ફિલ્મથી બોલિવુડમાં પદાર્પણ 1 - image


નિમ્રત  કૌર અહલુવાલિયા  તેની  પ્રથમ  ડ્રામા-થ્રિલર ફિલ્મ સાથે બોલીવૂડમાં   પદાર્પણ  કરવા માટે તૈયાર  છે. નિમ્રત કૌર તેની આ પ્રથમ  ફિલ્મ સાથે  પોતાની સફરની  વાત શેર કરતાં  કહે છે કે, 'મેં આ  તક માટે સારી એવી રાહ જોઈ હતી.  આ માટે માત્ર  એક જ વર્ષ નહીં, પણ છેલ્લા છ વર્ષથી રાહ જોઈ હતી. દજે હવે ફળિભૂત થઈ  છે.  નિર્માતા  અજય રાય  સાથેની  મારી પ્રથમ  મુલાકાત પછીતેમને લાગ્યું   કે હું  યોગ્ય  છું અને પછી મને  આમંત્રણ  આપ્યું. મને ઓડિશન  માટે બોલાવવામાં આવી.  મે  ઓડિશન  પણ આપ્યું.  જો કે આ એક લાંબી  પ્રક્રિયા હતી.  જો કે સદ્નસીબે મને રોલ મળ્યો.

આ  સાથે  જ  તેણે ઉમેર્યું  કે  અત્યારે  આ  ફિલ્મ  પ્રી-પ્રોડક્શનમાં  છે.  'હું સપ્ટેમ્બરમાં  આ   ફિલ્મના શૂટિંગમાં  ભાગ લઈશ.' એમ તેણે  જણાવ્યું હતું.

આ  અભિનેત્રી  ૨૯ વર્ષીય  નિર્માતા  દિબાકર  બેનરજીની 'લવ, સેક્સ ઔર ધોખા -૨'  ફિલ્મ  બોલિવુડમાં પદાર્પણ  કરવાની હતી, જેની જાહેરાત  સુધ્ધાં  'બિગ બોસ' રિયાલિટી  શોમાં સુદ્ધા  કરવામાં આવી હતી,  પણ આ  યોજના  સાકાર ન થઈ  શકી.

આ  સાથે જ  કૌર કહે છે,  'મને  મારા માટે સમયની જરૂર હતી,  જેથી  કરીને  હું એકસારી અભિનેત્રી તરીકે બોલિવુડમાં  આવી શકું.  આનું  કારણ એ  હતું  કે હું  ફિલ્મના સેટ પર જતાં પહેલા હું વધુ સજ્જ થઈ શકું.  આ સમજવામાં ઘણી હિંમતની  જરૂર  હતી. આ  બધુ કંઈ સરળ  તો નહોતું જ.' મારે  નિર્ણય  કરવાનો હતો.  કારણ  કે દરેક તેની આતુરતાથી  રાહ જોઈ રહ્યા હતા  જો કે દેખાવ   અને માનસિકતાના કારણે  હું મારી જાતને શ્રેષ્ઠ  સંસ્કરણ  બની શકી ન હોત.  કેટલાક કારણસર મને વધુ તક નહીં મળે એવું પણ મને લાગતું હતું,  તેનું કારણ તેણે જણાવ્યું હતું.

'રિયાલિટી  શો  'બિગ બોસ '  વેળા હું મારી શ્રેષ્ઠ  શારીરિક  અને માનસિક  સ્થિતિમાં  નહોતી. હું આવું અનુભવતી હતી.  તેનું કારણ દરેક વ્યક્તિ માનતી હતી કે હું વધુ પડતી સ્થુળતા  ધરાવું છું.  જો કે હું એવી નહોતી.  લોકોને લાગ્યું  કે તેમણે વાલિયા   ઉમેરે છે કે નમેં જે કંઈ કામગીરી અત્યાર સુધીમાં કરી છે તેનું મને ગૌરવ છે. 

Gujarat