TV TALK .

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


કિંશુક વૈદ્યે સગાઈ કરી 

થોડાં દિવસ પહેલા અભિનેતા  કિંશુક વૈદ્યે  સોશ્યલ  મીડિયા પર કોરિયોગ્રાફર દિક્ષા નાગપાલ  સાથેની  પોતાની સગાઈના ફોટા  પોસ્ટ કર્યાં   ત્યારે  લોકો આશ્ચર્યમાં  ગરકાવ થઈ  ગયા હતા. તેમણે પોતાની  સગાઈની વાત  એકદમ   ગુપ્ત રાખી હતી.  કિંશુકે  પછીથી  કહ્યું હતું  કે અમે માત્ર પરિવારજનો  તેમ જ નિકટના  મિત્રોની  ઉપસ્થિતિમાં  સગાઈ કરી હતી.  વાસ્તવમાં  હું અને દીક્ષા  પોતપોતાના કામમાં ગળાડૂબ છીએ.  અમે સગાઈના એક દિવસ પહેલા જ  મુંબઈ આવ્યાં હતાં.  અને સગાઈ  થઈ ગયા પછી તરત જ  અલગ અલગ  શહેરમાં પોતપોતાના  કામ માટે રવાના થઈ  ગયા હતા.  અભિનેતાએ  વધુમાં  કહ્યુ ંહતું  કે અમે આ વર્ષમાં જ વિવાહ કરવાનો વિચાર કરી રહ્યાં છીએ.  અમે  અમારા  લગ્નમાં વધુ  લોકોને નિમંત્રણ   આપીશું.  'શાકાલાકા બૂમ બૂમ' માં  બાળ કલાકાર  'સંજુ' તરીકે  ખ્યાતિ  પામનાર કિશુંક પછીથી 'એક રિશ્તા સાજેદારી કા', 'જાતના પૂછો પ્રેમ કી', 'વો તો હૈ અલબેલા' જેવી સીરિયલોમાં  કામ કર્યું  છે.  અભિનેતા  કહે છે કે  વર્ષ ૨૦૧૫માં  અમે કામ  કરતી વખતે  મળ્યા હતા. તે વખતે  અમારી વચ્ચે મિત્રતા થઈ  ગઈ હતી.  ધીમે ધીમે  અમને એમ લાગવા માંડયું  કે અમ એકમેક માટે  સર્જાયા છીએ.  છેવટે  અમે મિત્રતાને  નામ આપવાનો  નિર્ણય  કર્યો .

મોનાલિસા ફરી ડાયણ બની 

ભોજપુરી  ફિલ્મોની  જાણીતી  અભિનેત્રી  મોનાલિસાએ  ધારાવાહિક   'નજર' માં  ડાયણનો  રોલ કર્યા પછી  વધુ એક વખત 'શ્મશાન ચંપા' માં આવું  જ  કિરદાર  અદા કરી રહી છે.    દર્શકોને એમ  લાગે છે  કે તે માત્ર આવી  ભૂમિકાઓ   જ શા માટે  ભજવે છે?   મોનાલિસા  કહે છે કે  'શ્મશાન ચંપા' માં  મારો લુક,  મારો અંદાજ,  મારી શક્તિઓ  તદ્ન વેગળા પ્રકારની  છે.  હું તેમાં અત્યંત સુંદર લાગું છું.  અભિનેત્રી  વધુમાં કહે છે કે ઘણાં લોકો  મને એમ પણ પૂછે  થછે કે હું  ફરીથી નકારાત્મક  ભૂમિકા શા માટે  ભજવી રહી છું.  પરંતુ  મારો જવાબ  એ છે કે જ્યારે તમે કોઈ રોલ  પચીસ- પચાસ  વખત કરો ત્યારે જ તે ફરી ફરીને  એક  જ પ્રકારનું  કિરદાર ગણાય.  મેં સવાસો જેટલી  ભોજપુરી  ફિલ્મો કરી છે. અને તેમાં  મોટાભાગે  સકારાત્મક  પાત્રો  જ ભજવ્યાં છે મેં અત્યાર સુધી માંડ પાંચેક  વખત નેગેટિવ  રોલ કર્યાં  છે. મોનાલિસા  છેલ્લા  કેટલાક વર્ષથી  આ પ્રાદેશિકત  ભાષાની  ફિલ્મોમાં  નથી દેખાઈ.  તો શું  તેણે  ભોજપુરી  ફિલ્મોદ્યોગ  સાથે  છેડો  ફાડી નાખ્યો છે?  આના જવાબમાં  અભિનેત્રી  કહે છે કે  આજે પણ મને ભોજપુરી  ફિલ્મોની  ઓફરો  આવે છે.  પરંતુ  ટીવી શો 'નજર' કર્યાં  પછી  મારી પાસે સમય જ નતી.  'બિગ બોસ-૧૦'  કર્યા પછી   હું લાગલગાટ  ટીવી શોઝ કરી રહી છું. અને મને ઘણાં  સારા રોલ પણ મળી રહ્યાં છે. તેથી  મને  લાગે  છે કે ભોજપુરી  ફિલ્મોમાં  પરત ફરવું  મુશ્કેલ થઈ પડશે.

નવીના બોલેના લગ્નમાં ભંગાણ

'ઈશ્કબાજ'  ફેમ  નવીના બોલે દર્શકોમાં  ખાસ્સી પ્રિય છે. આ શોનો તેનો 'ટિયા'નો રોલ દર્શકોના દિલમાં વસી  ગયો હતો.   નવીનાએ  'ઊલ્ટા ચશ્મા' જેવા અત્યંત લોકપ્રિય શોમાં  'બાવરી' ની  ભૂમિકા  ભજવી  છે. તેના સિવાય  તેણે 'મિલે જબ હમ તુમ' , 'જીની ઔર  જૂજૂ'  જેવા ઘણાં  શોમાં કામ કર્યું છે.  પરંતુ  થોડા સમય પહેલાં  તેના અંગત જીવનને  લઈને આંચકાજનક  સમાચાર વહેતા  થયા  છે.  તેના સાત  વર્ષના  વિવાહિત  જીવનમાં  ભંગાણ  પડયુ ં છે.  નવીનાએ  સ્વયં એક ઈન્ટરવ્યૂ માં આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે તે અને તેનો પતિ જીત કરણ ત્રણેક હિનાથી અલગ થઈ ગયા છે. હવે તેઓ કાનૂની રીતે છૂટાછેડા  લેવાની તૈયારી કરી  રહ્યાં છે. અલગ થયા પછી પણ તેઓ તેમની પાંચ વર્ષની પુત્રીની જવાબદારી સહિયારી રીતે નિભાવશે.  અઠવાડિયામાં ે દિવસ તેમની દીકરી જીત કરણ સાથે રહેશે. જો કે નવીનિાએ તેમના અલગ થવા  બાબતે વિગતવાર  ખુલાસો  નહોતો  કર્યો.  તેણે એટલું જ કહ્યું  હતું કે પ્રારંભિક  તબક્કે તેમનું વિવાહિત  જીવન બહુ સરસ  રીતે ચાલી રહ્યું  હતું.  પણ પછીથી  પરિસ્થિતિ  બદલાઈ ગઈ.  તેમણે  તેમની પુત્રી  ખાતર લગ્નજીવન  બચાવી  લેવાના ઘણાં પ્રયાસ  કર્યાં હતાં.  પરંતુ તેનું કોઈ ફળદાયી  પરિણામ ન મળ્યું તેથી તેમણે સમજદારીપૂર્વક છૂટાં પડી જવાનો નિર્ણય  કર્યો. બંનેએ  વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૯ની  સાલમાં  નવીનાએ  પુત્રીને  જન્મ આપ્યો   હતો. નવીના કહે  છે કે  અલગ થવાના કારણોની  ચર્ચા  મને  જાહેરમાં  નથી કરવી.  


Google NewsGoogle News