મોદી સરકાર 3.0ના શપથ બાદ શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટી પણ ઐતિહાસિક ટોચે

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
મોદી સરકાર 3.0ના શપથ બાદ શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટી પણ ઐતિહાસિક ટોચે 1 - image


Stock Market Today: મોદી સરકાર 3.0ના શપથવિધિ બાદ સરકારનું ચિત્ર સ્પષ્ટ થતાં રોકાણકારો ગેલમાં જોવા મળ્યા છે. ભારતીય શેરબજાર સર્વોચ્ચ ટોચે ખૂલ્યા છે. સાર્વત્રિક સ્તરે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યો છે. 

સેન્સેક્સ આજે 76935.41ની રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ 77079.04ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં 9.50 વાગ્યે 49.98 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. જે બાદમાં ત્રણ મિનિટમાં જ ફરી પાછો 138.81 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ પણ 23411.90ની સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 9.50 વાગ્યે ફ્લેટ 23291.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

માર્કેટ ખૂલતાં જ 200 શેર્સમાં અપર સર્કિટ

બીએસઈ ખાતે ટ્રેડેડ શેર્સમાંથી માર્કેટ ખૂલતાંની સાથે જ 200 શેર્સમાં અપર સર્કિટ જોવા મળી હતી. જ્યારે 72 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 196 શેર્સ 52 વીક હાઈ અને 18 શેર્સ વર્ષની બોટમે નોંધાયા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 2399 શેર્સ સુધારા તરફી અને 940 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.

સેન્સેક્સ પેકમાં સામેલ શેર્સની સ્થિતિ

સેન્સેક્સ પેકમાં સામેલ 30 શેર્સ પૈકી 17 શેર્સમાં સુધારો અને 13 શેર્સમાં ઘટાડો કર્યો હતો. પાવરગ્રીડ 3.38 ટકા, અલ્ટ્રાટેક 2.32 ટકા, એક્સિસ બેન્ક 1.95 ટકા, રિલાયન્સ 1.21 ટકા અને એનટીપીસી 1.11 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ ટેક મહિન્દ્રા 2.28 ટકા, વિપ્રો 1.74 ટકા, ઈન્ફોસિસ 1.61 ટકા, એચસીએલટેક 1.23 ટકા અને ટાઈટન 1.12 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

આઈટી-ટેક્નો શેરોમાં પ્રોફિટ બુકિંગ

આઈટી શેરોમાં ગત સપ્તાહે નોંધાયેલી તેજીનો લાભ લેતાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. જેના પગલે આજે આઈટી-ટેક્નો શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ ટેક ઈન્ડેક્સ 1.29 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ટોચની આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો સહિતના શેર્સ 2થી 3 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

મોદી સરકાર 3.0ના શપથ બાદ શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટી પણ ઐતિહાસિક ટોચે 2 - image


Google NewsGoogle News