RBIએ રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યો, મોનેટરી પોલિસીની બેઠકમાં 4:2ના બહુમતથી નિર્ણય
RBI Repo Rate News | રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં 4:2ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર 6.50 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનાથી એવું કહેવાય છે કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.
અર્થશાસ્ત્રીઓનું શું માનવું હતું?
અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.
CRR 0.50 ટકા ઘટ્યો
મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેઝિસ પોઈન્ટ (0.50 ટકા)નો ઘટાડો કર્યો છે. ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યં હતું કે, 'ડિસેમ્બર, 2024માં સીપીઆઈ ફુગાવો 5 ટકાના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી, 2025માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.'
CRR ઘટતાં લિક્વિડિટી 1.06 લાખ કરોડ વધશે
કેશ રિઝર્વ રેશિયો ઘટાડી 4 ટકા કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. 1.06 લાખ કરોડની લિક્વિડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતે આપ્યો છે. જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે. મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે.
GDP ગ્રોથ અંદાજ ઘટાડ્યો
આરબીઆઈએ વર્તમાન ફુગાવા અને જીડીપીના આંકડાને ધ્યાનમાં લેતાાં નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ અંદાજ 7.2 ટકાથી ઘટાડી 6.6 ટકા કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ 4.5 ટકાથી ઘટાટડી 4.8 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.
રેપો રેટ શું હોય છે?
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને 'રેપો' તરીકે ઓળખવામાં આવે છે." આરબીઆઈ નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી બોન્ડ સામે જારી કરવામાં આવે છે. રેપો રેટની વ્યાખ્યા દ્વારા, આ લોન પર લાગુ વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી, વ્યવસાયિક બેંકો ઋણની ચુકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે.
આરબીઆઈના ગવર્નરના નેતૃત્વમાં સમિતિ કરે છે નક્કી
આરબીઆઈ નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે. RBIના ગવર્નર રેપો રેટને અંતિમ રૂપ આપવા માટે નાણાંકીય નીતિ પરિષદની અધ્યક્ષતા કરે છે. આ ઇન્ફ્લેશન ટ્રેન્ડને નિયંત્રિત કરવા અને માર્કેટ લિક્વિડિટી જાળવવામાં આરબીઆઈ માટે એક મુખ્ય સાધન છે. રેપો દર અને ફુગાવાને વ્યસ્ત રીતે સંબંધિત છે, કારણ કે જ્યારે રેપો દર વધે છે, ફુગાવાને ઘટાડે છે અને તેનાથી વિપરીત છે. તે હોમ લોન, પર્સનલ લોન અને બેંક ડિપોઝિટ દરોના વ્યાજ દરોને પણ અસર કરે છે.