યુકેથી 100 ટન સોના મગાવવા મામલે આરબીઆઈએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
યુકેથી 100 ટન સોના મગાવવા મામલે આરબીઆઈએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું 1 - image


Clarification On 100 Tonnes Gold Import: ભારતે થોડા સમય પહેલાં જ યુકેમાંથી 100 ટન સોનુ પરત મગાવ્યુ હતું. જેના પર લોકોએ તર્ક-વિતર્ક લગાવ્યા હતા. પરંતુ આ મામલે સ્પષ્ટતા આપતાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આરબીઆઈ બ્રિટનમાંથી 100 ટકન સોનાનો ભંડાર ભારત લાવી છે. કારણકે, દેશમાં તેનો સંગ્રહ કરવા પર્યાપ્ત ભંડાર ક્ષમતા છે. જેઓ અન્ય કોઈ વિતર્ક કાઢશો નહીં.

આરબીઆઈએ 2023-24માં બ્રિટનમાં સંગ્રહિત પોતાનું 100 ટન સોનુ ભારતની તિજોરીમાં ટ્રાન્સફર કર્યું છે. જે 1991 બાદ સોનાનુ સૌથી મોટુ ટ્રાન્સફર છે. 1991માં ફોરેક્સ સંકટનો સામનો કરવા ભારતે પોતાના સોનાનો મોટો હિસ્સો ગિરો મૂકવા તિજોરીમાંથી બહાર કાઢ્યું હતું. દાસએ જણાવ્યું કે, આ સોનુ આપણું છે, જે માત્ર વિદેશના ભંડારમાં લાંબા સમયથી સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. 

ગોલ્ડ રિઝર્વમાં વૃદ્ધિ

સત્તાવાર આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશની કુલ ગોલ્ડ રિઝર્વ 27.46 ટન વધી 822 ટન થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનાનો એક મોટો હિસ્સો વિદેશમાં જમા છે. અન્ય દેશોની જેમ ભારતે પણ પોતાનું સોનુ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે જમા કરાવ્યું છે. જો કે, હવે સ્થાનિક સ્તરે લોજિસ્ટિક અર્થાત ભંડારની ક્ષમતા હોવાથી ભારતે તેમાંથી 100 ટન સોનુ પરત મંગાવ્યુ હતું. હાલ ભંડારમાં ઉપલબ્ધ ગોલ્ડનુ પ્રમાણ 408 ટનથી વધ્યું છે.

વિદેશમાં ભારતનું 413 ટન સોનુ

આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ અનુસાર, 2023-24માં જારી કરવામાં આવેલા ચલણી નોટ્સના બદલે સ્થાનિક સ્તરે 308 ટનથી વધુ સોનુ ફાળવ્યું હતું. તે સિવાય 100.28 ટકન સોનુ સ્થાનિક બેન્કિંગ વિભાગની સંપત્તિ પેટે જમા કરવામાં આવ્યું હતું. વિદેશણાં 413.79 ટન સોનાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે, વિશ્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દરમિયાન અસ્થિરતા સામે રક્ષણ આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનામાં ગોલ્ડ રિઝર્વમાં 24 ટન સોનું ઉમેર્યું છે. સોનાનો આ જથ્થો 2023માં સમગ્ર વર્ષ દરમિયાન ખરીદાયેલા સોના કરતાં લગભગ દોઢ ગણો છે.

  યુકેથી 100 ટન સોના મગાવવા મામલે આરબીઆઈએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું 2 - image


Google NewsGoogle News