રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં સામેલ થશે ઈશા, આકાશ અને અનંત અંબાણી, 90%થી વધુ મતો સાથે શેરધારકોએ પ્રસ્તાવ મંજૂર કર્યો

ઈશા, આકાશ અને અનંત અંબાણીને ભારે બહુમતી સાથે નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી

ઈશા અંબાણીને કુલ 98.21 ટકા મત, આકાશ અંબાણીને 98.06 ટકા મત અને અનંત અંબાણીને કુલ 92.67 ટકા મત મળ્યા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં સામેલ થશે ઈશા, આકાશ અને અનંત અંબાણી, 90%થી વધુ મતો સાથે શેરધારકોએ પ્રસ્તાવ મંજૂર કર્યો 1 - image

મુંબઈ, તા.27 ઓક્ટોબર-2023, શુક્રવાર

અંબાણી પરિવારના ત્રણ સભ્યો ઈશા, આકાશ અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ (Reliance Industries Board)માં સામેલ કરવા શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. શેરધારકોએ ત્રણેય ભાઈ-બહેનને કંપનીના નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવા પર મહોર મારી દીધી છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાયરિંગમાં બીએસઈ સ્ટોક એક્સચેન્જ (BSE Stock Exchange)ને જણાવ્યું કે, ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.

ત્રણે ભાઈ-બહેનને શેરધારકોના કેટલા મતો મળ્યા ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, 26 ઓક્ટોબર-2023ના રોજ બહુમતી સાથે ઠરાવ પસાર થયો છે. ઈશા અંબાણી (Isha Ambani)ને કુલ 98.21 ટકા મત મળ્યા છે, જ્યારે આકાશ અંબાણી (Akash Ambani)ને 98.06 ટકા અને અનંત અંબાણી (Anant Ambani)ને કુલ 92.67 ટકા મત મળ્યા છે.

બોર્ડે અગાઉથી જ આપી દીધી છે મંજૂરી

28 ઓગસ્ટ-2022ના રોજ યોજાયેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની AGMમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, ઈશા, આકાશ, અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સામેલ કરાશે. કંપનીના બોર્ડે ત્રણે ભાઈ-બહેનને બોર્ડમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. જોકે શેરધારકોની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી હતી. હવે કંપનીના શેરધારકોએ ત્રણે ભાઈ-બહેનને બોર્ડમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાંથી રાજીનામી આપી દીધું હતું.


Google NewsGoogle News