Get The App

સોનાના ભાવ 2021 ની શરૂઆતમાં ઘટીને રૂપિયા 42,000 થઈ શકે છે, જાણો તેનું મોટું કારણ શું છે

Updated: Nov 30th, 2020


Google NewsGoogle News
સોનાના ભાવ 2021 ની શરૂઆતમાં ઘટીને રૂપિયા 42,000 થઈ શકે છે, જાણો તેનું મોટું કારણ શું છે 1 - image

નવી દિલ્હી, 30 નવેમ્બર 2020 સોમવાર

છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં ભલો થોડો-ઘણો ઘટાડો થયો હોય, પરંતુ કોરોના સંકટ ચરમસીમા પર પહોંચ્યા બાદ તેનાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. જોકે હવે ભારતમાં સોનાનાં ભાવને લઈને સારા સંકેતો મળી રહ્યા છે. વર્ષ 2020 પુરૂ થવામાં હજી એક મહિનો બાકી છે. એટલે કે, 2021 માં, સોનાના ભાવ વિશે વધુ સારા સમાચાર મળી શકે છે.

તાજેતરમાં, સોનું સસ્તું થયું છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા વર્ષના પ્રારંભમાં એટલે કે 2021 ની શરૂઆતમાં સોનામાં પ્રતિ દસ ગ્રામ રૂ. 42,000 નો ઘટાડો થઈ શકે છે. કેમ આવું થશે? ઘણા કારણો આ માટે જવાબદાર છે. પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે તેને રોકવા માટે કોરોના અને રસી બનાવવામાં આવી રહી છે. 

કોરોના સમયગાળા દરમિયાન, સોનામાં પુષ્કળ પ્રમાણમાં મુડીરોકાણ થયું હતું. આવું એટલા માટે પણ છે કારણ કે સોનાને સલામત રોકાણ તરીકે માનવામાં આવે છે. જો કે આને કારણે સોનાનાં ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો. અને સોનાનો ભાવ તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યો.

હવે, વિશ્વમાં ઘણી કોરોના રસી લગભગ તૈયાર છે અને રૂપિયામાં મજબુતી પરત ફરી છે. બજાર પૂર્ણ ક્ષમતા સાથે ખુલી રહ્યું હોવાથી શેર બજાર પણ વેગ પકડી રહ્યું છે. આ દ્રષ્ટીએ, લોકો હવે સોનાનાં રોકાણમાં આ પ્રકારનો ઉત્સાહ બતાવી રહ્યા નથી. જેના કારણે સોનાનાં ભાવ નીચે આવી રહ્યા છે.

છેલ્લા ત્રણ અઠવાડિયામાં સોનાના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થયો છે. બે દિવસ પહેલા દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 10 ગ્રામ દીઠ 48,142 રૂપિયા પર બંધ થયું હતું. નોંધપાત્ર બાબત એ છે કે સોનું ઓગસ્ટ મહિનામાં 10 ગ્રામ દીઠ રૂ. 56,200 પર પહોંચી ગયું હતું. આ સોનાનું ઉચ્ચતમ સ્તર હતું.

જેમ જેમ કોરોના રસી તૈયાર થઈ રહી છે અને લોકો સુધી પહોંચવાની શક્યતા વધી રહી છે, તેમ-તેમ સોનાની કિંમત ઘટશે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે 2021 ફેબ્રુઆરી સુધીમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 42,000 સુધી પહોંચી શકે છે. તે જ પ્રકારે ચાંદીના ભાવ પણ ઘટશે; સોના સિવાય ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે.

આવતા વર્ષે  જાન્યુઆરીનાં અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં સોનાનાં ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં સોનાનાં ભાવમાં ઘટાડા પાછળનું કારણ કોરોના રસી છે. કેન્દ્ર સરકારે કોરોના રસીનાં લગભગ 40 કરોડ ડોઝ ખરીદવા માટે સીરમ ઇન્સ્ટીટ્યુટ સાથે વાતચીત કરી રહી છે.


Google NewsGoogle News