Get The App

ફ્લાઈટમાં બોમ્બનો ફેક કૉલ કર્યો તો જવું પડશે જેલ ! કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લાવશે કાયદો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ફ્લાઈટમાં બોમ્બનો ફેક કૉલ કર્યો તો જવું પડશે જેલ ! કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લાવશે કાયદો 1 - image


Bomb Threats In Flight : દેશમાં છેલ્લા ઘણા દિવસોથી 70થી વધુ ફ્લાઈટોને બોંબથી ઉડાવવાની નનામી ધમકીઓ મળ્યા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એરલાઈન્સ કંપનીઓને અવારનવાર ફેક કૉલ કરીને ધમકી આપનારા બદમાશોને કારણે એવિએશન સેક્ટર હાલ સંકટનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત આવી કરતુતને કારણે અનેક મુસાફરોએ તો હાલાકી ભોગવી જ છે, સાથે સાથે એરલાઈન્સ કંપનીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે કેન્દ્ર સરકારે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આવા બદમાશોને જેલમાં ધકેલવા માટે કાયદો લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ધમકી આપનારાઓને ફ્લાઈટમાં નો એન્ટ્રી

ફ્લાઈટમાં બોમ્બનો નનામો કોલ અને મેસેજના કારણે મુસાફરો અને એરલાઈન્સ કંપનીઓની સાથે એવિએશન મંત્રાલયની પણ મુશ્કેલી વધારનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આવી ઘટનાને ધ્યાને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યુરો (BCAS)એ જૂના નિયમો પર પુનઃ વિચારણા શરૂ કરી તેમાં નવા નિયમોનો ઉમેરો કરવા પર વિચારણા શરૂ કરી દીધી છે. આમાં ધમકી આપનારાઓ પર ફ્લાઈટમાં પ્રતિબંધ લગાવવાનો નિયમ પણ સામેલ છે.

આ પણ વાંચો : આગામી 48 કલાક ભારે! વધુ એક વાવાઝોડાનું સંકટ, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

‘ભારતીય એરક્રાફ્ટ બિલ 2024’માં ફેરફાર કરાશે

BCASના સૂચનો મુજબ બોમ્બની ખોટી સૂચના આપનારાઓને પાંચ વર્ષ માટે ‘નો-ફ્લાઈ’ યાદીમાં ધકેલવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ કલમ-1934 હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. વિચારણા મુજબ લોકસભા દ્વારા ઓગસ્ટમાં પસારક કરાયેલ ‘ભારતીય એરક્રાફ્ટ બિલ 2024’માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રખાયો છે. આમ કરવાથી ખોટી ધમકીઓને અટકાવવા મહદઅંશે સફળતા મળી શકે છે.

કેટલીક જોગવાઈઓ બિનઅસરકારક

એરલાઈન્સમાં અત્યાર સુધી એવો નિયમ હતો કે, જો કોઈ મુસાફર ફ્લાઈટમાં ધમપછાળા કરે તો તેની ફ્લાઈટ મુસાફરી પર પ્રતિબંધ એટલે કે તેને નો-ફ્લાઈ યાદીમાં સામેલ કરાતો હતો. આમાં સૌથી મોટી વાત એ છે કે, ધમપછાળા કરનારા મુસાફરો પર કેટલાક દિવસ પ્રતિબંધ લગાવવો, તે એરલાઈન્સ દ્વારા નિર્ણય કરાતો હતો. બીસીએએસે કહ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (IPC)ની જોગવાઈઓ બિનઅસરકાર હોવાથી ફેક કૉલ અને મેસેજ કરવાની ઘટનાઓને અટકાવવી શકાતા નથી.

આ પણ વાંચો : ભાજપમાં ભાગમભાગ! ઉમેદવારોની યાદી જાહેર થતાં જ અનેક નેતાઓના પાર્ટીને 'રામ રામ'

વિમાન એક્ટ 1934 શું છે ?

બીસીએએસે કહ્યું કે, ફેક કૉલ કરનારા વિરુદ્ધ વિમાન એક્ટ-1934માં એવી જોગવાઈ છે, કે જેના કારણે આવા બદમાશોને અટકાવી શકાય છે. તેમાં સખ્ત જામીન અને કડક સજા પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં ફ્લાઈટમાં બોમ્બ હોવાના લગભગ 70 ધમકીઓ મળી છે. શનિવારે 30થી વધુ ફ્લાઈટોને, જ્યારે ગઈકાલે 20થી વધુ ફ્લાઈટોને ધમકીઓ મળી હતી. આવી ધમકીઓના કારણે ફ્લાઈટના શેડ્યુલ સહિત મુસાફરો અને એરલાઈન્સ કંપનીઓને પણ મોટું નુકસાન થાય છે.


Google NewsGoogle News