આ સરકારી યોજનામાં રોકાણ નિવૃત્તિ સમયે લાભદાયી સાબિત થશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
આ સરકારી યોજનામાં રોકાણ નિવૃત્તિ સમયે લાભદાયી સાબિત થશે, જાણો સમગ્ર પ્રક્રિયા 1 - image


Atal Pension Scheme Plan: નિવૃત્તિ બાદ દરમહિને નિશ્ચિત આવક મળતી રહે તો આર્થિક બોજો હળવો થાય છે અને રિટાયરમેન્ટ પણ શાંતિથી પસાર થઈ શકે છે. સરકારે વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત અને દરમહિને નિશ્ચિત રકમ આપવાનું વચન આપતાં અટલ પેન્શન સ્કીમ યોજના લાવી હતી. જેમાં 60 વર્ષની વય બાદ લઘુત્તમ પેન્શનની ખાતરી છે.

આ સ્કીમનો લાભ લેવા ઈચ્છુકો તેમના એનપીએસ ખાતાને APYમાં ટ્રાન્સફર કરાવી શકે છે. 

અટલ પેન્શન યોજના (APY)ની વિશેષતાઓ

તમે 60 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 1000, 2000, 3000, 4000 અથવા 5000ની બાંયધરીકૃત લઘુત્તમ પેન્શન માટે આ યોજના પસંદ કરી શકો છો. 18 થી 40 વર્ષની વય વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક કે જેઓ બેન્કમાં બચત ખાતું ધરાવે છે, તેઓ આ સ્કીમમાં ભાગ લઈ શકે છે.

કેટલુ રોકાણ કરી શકાય

અટલ પેન્શન સ્કીમમાં તમે તમારી વય અને પેન્શન માટે પસંદ કરેલી રકમના આધારે રોકાણ કરી શકો છો. મહિને ઓછામાં ઓછું રૂ. 1000નું પેન્શન મેળવવા માટે દરમહિને રૂ. 42નું રોકાણ 18 વર્ષથી શરૂ કરવુ પડશે, જ્યારે રૂ. 5000નું પેન્શન મેળવવા માટે તમારે દરમહિને રૂ. 1454નું રોકાણ કરવુ પડશે. જેમાં સરકાર પોતાના તરફથી પણ કુલ રોકાણના 50 ટકા યોગદાન આપે છે. સબસ્ક્રાઇબરના મૃત્યુ પછી, જીવનસાથીને સમાન પેન્શન મળે છે. સબસ્ક્રાઈબર અને પત્ની બંનેના મૃત્યુ પછી કુલ રકમ નોમિનીને પરત કરવામાં આવે છે. કોમર્શિયલ અથવા ગ્રામીણ બેન્કો દ્વારા અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકો છો. 

અટલ પેન્શન યોજનાના લાભો

• સુરક્ષિત નિવૃત્તિ- નિવૃત્તિ પછી ખાતરીપૂર્વકની આવકના વળતરની ખાતરી.

• સરકાર સમર્થિત - સુરક્ષા અને વિશ્વાસ પ્રદાન કરે છે.

• સુગમતા- તમે તમારી ઈચ્છા મુજબ પેન્શનની રકમ પસંદ કરી શકો છો.

• કર લાભ- આ યોજનામાં યોગદાન કર કપાતનો લાભ મળી શકે છે.

NPS એકાઉન્ટને APYમાં ટ્રાન્સફર કરો

18-40 વર્ષની વયના ગ્રાહકોને તેમના NPS ખાતાને અટલ પેન્શન યોજનામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ ટ્રાન્સફર પ્રક્રિયા તેમને APY ની ખાતરીપૂર્વકની પેન્શન સુવિધાનો લાભ લેતી વખતે તેમની પેન્શન બચત ચાલુ રાખવાની મંજૂરી આપે છે. 

(ડિસ્ક્લેમરઃ  અહીં આપવામાં આવેલ માહિતી માત્ર જાણકારી માટે છે. જે રોકાણ અંગે કોઈ સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)


આ સરકારી યોજનામાં રોકાણ નિવૃત્તિ સમયે લાભદાયી સાબિત થશે, જાણો સમગ્ર પ્રક્રિયા 2 - image


Google NewsGoogle News