બાળ દિવસ નિમિતે સાયકલીસ્ટ ગૃપ દ્વારા સાયકલિંગ રાઈડ યોજાઈ.
ભરૂચ: સાકલીસ્ટર્સ ગ્રુપ દ્વારા જવાહરલાલ નહેરુના જન્મદિવસ એ બાળકો માટે સાયકલિંગ રાઈડ યોજાય.હતી સાકલીસ્ટર્સ ગ્રુપના 50 થી વધુ બાળકો અને ગ્રુપના સભ્યોએ 5 કિલોમીટરની સાયકલિંગ રાઈડ કરી હતી.
આ સાયકલિંગ રાઈડસ ની શરૂઆત ઝાડેશ્વર સ્થિત હરીહર કોમ્પ્લેક્સથી કસક સર્કલ,આશિસ હોટલ, જ્યોતિનગર થઈ હરિહર કોમ્પલેક્ષએ રાઈડ્સનું સમાપન થયુ હતું. સાયકલલિસ્ટોને ભરૂચ સાયકલિંગ ગ્રુપના સભ્યો સૌરભભાઈ મહેતા,રાજવીર સિંહ ઠાકોર, સંજય બીનિવાલા,મહેશભાઈ દોડીયા સહીતના સભ્યો દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.