Get The App

અંબાજી રેલવે સ્ટેશન પર 100 રૃમની બજેટ હોટલ આકાર લેશે

- પાંચ માળની હોટલ માટે જગ્યા ફાળવવામા આવશે

- ગુજરાતમાં 82 અને રાજસ્થાનમાં 34 કિમી રેલવે લાઇન નખાશે ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે

Updated: Jul 22nd, 2022


Google NewsGoogle News
અંબાજી રેલવે સ્ટેશન પર 100 રૃમની બજેટ હોટલ આકાર લેશે 1 - image

પાલનપુર,તા.21

બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન શક્તિપીઠ અંબાજીમાં ભક્તોને રેલવે મારફતે દર્શન કરવા આવી શકે તે માટે સરકાર દ્વારા રૃ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. જેમાં હવે અંબાજીમાં રેલવે સ્ટેશન પર ૧૦૦ રૃમની બજેટ હોટલ બનશે.આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામા આવશે .અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામા આવશે.

પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૃ કરી છે. તેના ભાગરૃપે વડાપ્રધાનના વડપણ હેઠળ ૧૩ જુલાઈએ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની ૧૧૬.૬૫ કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામા આવી છે. જેમાં રૃ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૃ કરી દીધી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચન અનુસાર ૧૮ જુલાઈ ૨૦૨૨ના રોજ રેલવેના જીએમ અને ડીઆરએમ અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના સચિવએ ચીફ સેક્રેટરી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે મુલાકાત કરી હતી. આ પ્રોજેક્ટને આગળ લઇ જવા અંગેની વ્યૂહાત્મક બાબતો વિશે તેમાં અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામા આવશ.ે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામા આવશે.  ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામા આવ્યું છે. ૬ રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની ૧૧૬.૬૫૪ કિમીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામા આવશે .જે ૬૦ ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના ૧૦૪ ગામડાઓને ફાયદો થશે.

તારંગાથી આબુ હિલ્સ સુધી ૧૧૬.૬૫૪ કીમી લંબાઈમાં ૧૫ સ્ટેશન હશે

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાંથી પસાર રેલવેલાઈનમાં ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશ.ે જેમાં રેલવે દ્વારા તેના માટે ૧૫ સ્ટેશન સૂચિત કરવામા આવ્યા છે. જેમાં વરેઠા (વર્તમાનમાં ચાલુ), ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ (હોલ્ટ), મહુડી (હોલ્ટ), દલપુરા, રૃપપુરા (હોલ્ટ), હડદ, આંબા મહુડા (હોલ્ટ), પેટા છપરા (હોલ્ટ), અંબાજી, પારલી છપરી (હોલ્ટ), સિયાવા (હોલ્ટ), કુઈ અને આબુ રોડનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં ૧૧ અને રાજસ્થાનમાં ૪ રેલવે સ્ટેશન સમાવિષ્ટ થશે.

શકિતપીઠની થીમ પર દિવ્યાંગ ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે

અંબાજી શક્તિપીઠની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત આ રેલવે સ્ટેશનની ડિઝાઇન કરવામા આવશે. સ્થાનિક માલસામાનની ઉપલબ્ધિથી આ રેલવે સ્ટેશનને ગ્રાઉન્ડફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે વિકસિત કરવામા આવશે. યાત્રાળુઓની સુવિધાઓ માટે  પાંચ માળ સુધી ૧૦૦ રૃમની બજેટ હોટલનું નિર્માણ કરવામા આવશે. પાકગ માટે પૂરતી સુવિધાઓ હશે .તેમજ સ્ટેશનનું આકટેક્ટર યાત્રાળુઓ માટે નયનરમ્ય બનાવવામા આવશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આકટેક્ચરના આધારે કાયાપલટ કરવામા આવશે.

ગુજરાતમાં ૩૩ મેજર બ્રિજ બનશે જેમાં ૪૦૯ હેક્ટર જમીનનો ઉપયોગ થશે

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ ૪૦૯.૪૮૦ હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામા આવશે. તેમાં કુલ ૩૩ મેજર બ્રિજ નિર્માણ કરવામા આવશે જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં ૮, બનાસકાંઠાના દાંતામાં ૧૭ અને સાબરકાંઠાના પોશીનામાં ૮ બ્રિજ બનાવવામા આવશે. જેમાં રોડ ઓવર બ્રિજની વાત કરીએ તો મહેસાણાના ખેરાલુ અને સતલાસણામાં ૨-૨, તેમજ દાંતા અને પોશીનામાં ૧-૧ બ્રિજ નિર્માણ થશે. કુલ ૪૭ રોડ અન્ડર બ્રિજનું નિર્માણ થશે જેમાં સતલાસણામાં ૧૩, દાંતામાં ૨૮ અને પોશીનામાં ૬ બ્રિજનું નિર્માણ કરવામા આવશે.

રેલવે રૃટથી આસપાસના વિસ્તારનો વિકાસ થશે

તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.


Google NewsGoogle News