વસંત પંચમી: સરસ્વતી માતાના ભોગ માટે બનાવવામાં આવે છે મીઠા પીળા ભાત, જાણો કારણ અને મહત્વ

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
વસંત પંચમી: સરસ્વતી માતાના ભોગ માટે બનાવવામાં આવે છે મીઠા પીળા ભાત, જાણો કારણ અને મહત્વ 1 - image


Image:freepik

નવી દિલ્હી,તા. 9 ફેબ્રુઆરી 2024,શુક્રવાર 

વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ છે. આ દિવસે સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં, વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજાનું ઘણું મહત્વ છે. આ વર્ષે 14મી ફેબ્રુઆરી 2024ના રોજ વસંત પંચમી ખૂબ જ શુભ સંજોગોમાં ઉજવવામાં આવશે. આ દિવસથી વસંતનું આગમન થાય છે.

સનાતન ધર્મમાં, પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજાનું ઘણું મહત્વ છે. આ ખાસ અવસર પર લોકો પીળા વસ્ત્રો પહેરે છે અને દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરે છે અને ભોગ માટે મીઠા પીળા ચોખા તૈયાર કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે મીઠા પીળા ચોખા કેમ તૈયાર કરવામાં આવે છે. જેની પાછળ ધાર્મિક કારણ રહેલું છે.  

એવું માનવામાં આવે છે કે, આ દિવસે પીળા રંગના કપડાં પહેરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. ધાર્મિક માન્યતા અનુસાર પીળો રંગ સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ લોકો વસંત પંચમીના દિવસે પીળા રંગનો વધુ ઉપયોગ કરે છે. 

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને મીઠા પીળા ચોખા ખૂબ જ પસંદ છે. તેથી, આ દિવસે માતા સરસ્વતીને મીઠા પીળા ચોખા ચઢાવવામાં આવે છે, જેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને સાધક તેમના આશીર્વાદ મેળવે છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મીઠા પીળા ચોખાનો પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવે છે.

આ સિવાય તમે દેવી સરસ્વતીને અર્પણમાં ઘણી ખાસ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. જો તમે ગુરુને પ્રસન્ન કરવા માંગો છો તો માતા સરસ્વતીને બુંદી ચઢાવો. માન્યતા અનુસાર, માતા સરસ્વતીને બુંદી વધુ પસંદ છે. માતા સરસ્વતીને અર્પણ તરીકે રાજભોગનો પણ સમાવેશ કરી શકાય છે. આ દિવસે માતા સરસ્વતીને રાજભોગ ચઢાવો અને પ્રસાદ તરીકે લોકોને ખવડાવી શકાય છે. 


Google NewsGoogle News