Get The App

વૈશાખ અમાસ પર કરો ખાસ ઉપાય, પિતૃ દોષ દૂર થશે અને ધન-સંપત્તિમાં થશે વધારો

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
વૈશાખ અમાસ પર કરો ખાસ ઉપાય, પિતૃ દોષ દૂર થશે અને ધન-સંપત્તિમાં થશે વધારો 1 - image


Vaishakh Amavasya: વૈશાખ મહિનાની અમાસ તિથિનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તિથિ 27 એપ્રિલના રોજ પડી રહી છે.  અમાસની તિથિને પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક તર્પણ, પિંડદાન અને અન્ય શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. માન્યતા છે કે વૈશાખ અમાસ પર કરવામાં આવેલા વિશેષ ઉપાયોથી કુંડલીનો પિતૃદોષ દૂર થાય છે અને જીવનમાં આવી રહેલી  અડચણો સમાપ્ત થાય છે. ગરુડ પુરાણ પ્રમાણે અમાસના દિવસે તર્પણ કરવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ દિવસે કયા-કયા ઉપાય લાભકારી માનવામાં આવ્યા છે. 

પિતૃ દોષથી મુક્તિ હેતુ ઉપાય

પીપળાના વૃક્ષ નીચે  તલના તેલનો દીપક પ્રગટાવો અને વૃક્ષની અગિયાર વખત પરિક્રમા કરવી. આ સાથે જ ઘરની દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી તલને સરસવના તેલમાં નાખીને રાખવું. જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણ દિશાને પિતૃ દિશા કહેવામાં આવી છે. આ ઉપાયને પિતૃઓની પ્રસન્નતા અને આશીર્વાદ મેળવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ધન વૃદ્ધિ હેતુ ઉપાય

લાલ કપડામાં અળસીના બીજ બાંધીને એક પોટલી બનાવવી. આ પોટલીને કોઈ પવિત્ર નદીમાં વહેતી કરવી. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ઉપાય ધન વૃદ્ધિ અને આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ થાય છે. 

ગાયની પૂજા કરવી

અમાસના દિવસે ગાયની પૂજા જરૂર કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવું  ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો: વૈશાખ અમાસ પર 3 રાશિના જાતકો રહે સાવચેત, અશુભ પરિણામ ભોગવવા પડી શકે!

ગરીબોને દાન કરવું

વૈશાખ અમાસના દિવસે ગરીબોને અનાજ, વસ્ત્ર, દક્ષિણા, કાળા તલ અને કમ્બલનું દાન કરવું ખૂબ જ પુણ્યકારી હોય છે. કહેવાય છે કે દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ-શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

Tags :