Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટ ચતુર્થી, ગણપતિની કૃપાથી ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટ ચતુર્થી, ગણપતિની કૃપાથી ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2024 બુધવાર

28 ફેબ્રુઆરી એટલે કે આજે સંકષ્ટ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં આ દિવસનું ખાસ મહત્વ હોય છે. આજના દિવસે બુદ્ધિ, જ્ઞાન અને ધન-વૈભવના દેવતા ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશ તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. સંકષ્ટ ચતુર્થીના દિવસથી અમુક રાશિઓના સારા દિવસ શરૂ થવાના છે. આ લોકો પર ગણપતિની કૃપા વરસશે. 

મેષ રાશિ

આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ખૂબ સારો રહેવાનો છે. ગણપતિની કૃપાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે.

મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધુ સુધારો આવશે. ગણપતિ તમારી તમામ ચિંતાઓ દૂર કરી દેશે. તમારુ આરોગ્ય ઉત્તમ બની રહેશે. આ રાશિના જે લોકો પોતાની નોકરીમાં પરિવર્તન કરવાના પ્રયત્નમાં હતા તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની શક્યતા છે. તમારા જીવનમાં ખુશીઓ આવશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોના મુશ્કેલી ભરેલા દિવસો આજથી ખતમ થઈ જશે. તમારા દ્વારા કરવામાં આવેલા મોટાભાગના કાર્ય સફળ થશે. સિંહ રાશિના લોકોને વેપારમાં ખૂબ સફળતા મળશે. તમે કોઈ પણ નિર્ણય ખૂબ બુદ્ધિથી લેશો. આ રાશિના લોકોનું માનસન્માન વધશે. તમને કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. ગણપતિની કૃપાથી તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. આ રાશિના લોકોના આકસ્મિક ધન લાભના પણ યોગ બનશે. તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. તમારા આરોગ્યમાં પણ સુધારો આવશે.

તુલા રાશિ

સંકષ્ટ ચતુર્થીના દિવસથી તુલા રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે. તમને કરિયરમાં ઝડપથી આગળ વધશો. આર્થિક લાભ પણ મળવાની ખૂબ શક્યતા છે. તુલા રાશિના અમુક લોકોને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. સમાજમાં તમારુ માન-સન્માન પણ વધશે.

તુલા રાશિના લોકોને ગમે ત્યાંથી કોઈક સુખદ સમાચાર મળી શકે છે. તમારી કિસ્મત ટૂંક સમયમાં ચમકવાની છે. આ રાશિના અમુક લોકોના વિદેશ જવાના યોગ બની શકે છે. ગણપતિની કૃપાથી તમે કોઈ નવા કામની શરૂઆત પણ કરી શકો છો.


Google NewsGoogle News