31 ડિસેમ્બર સુધીનો સમય મેષ, સિંહ અને મીન રાશિના જાતકો માટે લાભકારી, તમામ રાશિઓને થશે અસર

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
31 ડિસેમ્બર સુધીનો સમય મેષ, સિંહ અને મીન રાશિના જાતકો માટે લાભકારી, તમામ રાશિઓને થશે અસર 1 - image


                                                          Image Source: Freepik

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

જ્યારે દેવગુરૂ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તમામ 12 રાશિઓ પર પ્રભાવ નાખે છે. વર્તમાનમાં ગુરુ મેષ રાશિમાં વક્રી અવસ્થામાં સંચરણ કરી રહ્યા છે અને 31 ડિસેમ્બર સુધી આ અવસ્થામાં રહેશે. ખાસ વાત એ છે કે વર્ષના અંતે સૂર્ય ગ્રહણના સમયે પણ ગુરુ ગ્રહ વક્રી રહેશે. વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023, શનિવારે થશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે વક્રી ગુરુનો સમયગાળો લાભકારી રહેવાનો છે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ગુરૂ ગ્રહના પ્રભાવથી તમને આવકના નવા સાધન પ્રાપ્ત થશે. કરિયરમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. બિઝનેસ કરનાર જાતકોનો પણ નફામાં વધારો થશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે વક્રી ગુરુનો સમયગાળો શાનદાર રહેવાનો છે. આ દરમિયાન તમને કરિયર સંબંધિત ઘણા અવસર પ્રાપ્ત થઈ શકે છે. તમને માતા-પિતાનો સહયોગ મળશે. નોકરિયાત કરનાર જાતકોનું પ્રમોશન થશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. 

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ સમયગાળો લાભકારી રહેવાનો છે. આ દરમિયાન તમને પરિવારનો પૂરતો સહયોગ મળશે. રોકાણની સારી તક પ્રાપ્ત થશે. તમે પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. તમે પોતાના લક્ષ્યોને મેળવવામાં સફળ થશો. 


Google NewsGoogle News