રક્ષાબંધનના પર્વ પર આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, 2 શુભ યોગ લાવશે સમૃદ્ધિ, થઈ શકે આર્થિક લાભ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
રક્ષાબંધનના પર્વ પર આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, 2 શુભ યોગ લાવશે સમૃદ્ધિ, થઈ શકે આર્થિક લાભ 1 - image

Raksha Bandhan 2024: ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ માસનો પ્રત્યેક દિવસ વિશેષ મહત્ત્વ ધરાવતો હોય છે. શ્રાવણ માસ દરમિયાન આવનારી દરેક તિથિ અને તહેવારના ઉપવાસ કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે. વૈદિક પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે શ્રાવણ માસનું છેલ્લું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ વખતે રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે અને આ દિવસે કયા કયા શુભ યોગો બની રહ્યા છે.

ક્યાં દિવસે છે રક્ષાબંધન

વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2024માં શ્રાવણ પૂનમ તિથીની શરુઆત 19 ઓગસ્ટની મધ્ય રાત્રીએ 2:05 મિનિટે થશે. અને રાતે 11:56 મિનિટે પૂરી થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. જયારે રાખડી બાંધવાનો શુભ સમય 01:46 મિનિટથી 04:19 મિનિટનો છે. રક્ષાબંધનના પૂરા દિવસ દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ, ધનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગનો મહાન સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે આ વખતે રક્ષાબંધન પર કઈ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

આ પણ વાંચો: વડોદરા નજીક વડસરમાંથી NDRFની ટીમે વધુ 16 લોકોને સલામત બહાર કાઢ્યા

5 રાશિના જાતકોને થઇ શકે છે આર્થિક લાભ

મકર

નોકરી કરતા લોકોને ફોન દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તેમનો માનસિક તણાવ ઓછો થશે. વ્યાપારીઓની નવી યોજનાઓ સફળ થશે. વેપારમાં મોટો ફાયદો થશે. મકર રાશિના લોકોના ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સિંહ રાશિ

અવિવાહિત લોકોને કોઈ એક રોગથી રાહત મળી શકે છે. વેપારમાં નવી તકો મળશે. પારિવારિક વાતાવરણ હળવું રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોનો પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં વધારો થઇ શકે છે.

કન્યા રાશિ

નોકરી કરતા લોકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો મજબૂત થઇ શકે છે. ઉદ્યોગપતિઓનો તેમના પરિવાર સાથેનો વિદેશ પ્રવાસ સુખદ રહેશે. તેમજ વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે.

ધનુર રાશિ

નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. કોઈ મોટી કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ તકો મળશે. પસંદગીની શાળા કે કોલેજમાં પ્રવેશ મળી શકે છે.

વૃષભ રાશી

વેપારમાં સકારાત્મક પરિવર્તન આવશે. વ્યવસાયમાં નવી નીતિઓ પર કામ કરવા માટે યોગ્ય સમય છે. પૈસા કમાવવાની ઘણી નવી તકો મળશે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે, જેના કારણે તમે જલ્દીથી લોનના પૈસા ચૂકવી શકશો.



Google NewsGoogle News