એક વર્ષ પછી કુંભ રાશિમાં થશે સુર્યનું ગોચર, 30 દિવસોમાં આ 3 રાશિના ભાગ્ય ચમકશે

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોના રાજા એવા સૂર્યનું રાશિચક્ર પરિવર્તનનું ખાસ મહત્વ ગણવામાં આવે છે

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
એક વર્ષ પછી કુંભ રાશિમાં થશે સુર્યનું ગોચર, 30 દિવસોમાં આ 3 રાશિના ભાગ્ય ચમકશે 1 - image
Image Twitter 

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોના રાજા એવા સૂર્યનું રાશિચક્ર પરિવર્તનનું ખાસ મહત્વ ગણવામાં આવે છે. સૂર્યદેવ મહિનામાં માત્ર એક જ વાર ગોચર કરે છે અને તે પછી તે એક રાશિમાં લગભગ 30 દિવસ સુધી રહે છે, જેના કારણે રાશિચક્ર પર તેમની હકારાત્મક અને નકારાત્મક અસર જોવા મળે છે. હાલમાં સૂર્ય મકર રાશિમાં બિરાજમાન  છે, જે આગામી 13 ફેબ્રુઆરીએ રાશિ પરિવર્તન કરશે.  શનિની રાશિ કુંભ  સૂર્ય 13 ફેબ્રુઆરીએ પ્રવેશ કરશે. સુર્યનું કુંભ રાશિમાં સૂર્યના પ્રવેશવાથી કેટલીક રાશિઓના ભાગ્યોદય થવાના છે. આવો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે....

મેષ રાશિ

સૂર્યનું કુંભ રાશિમાં ગોચર થવાથી મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેષ રાશિના જાતકોને સમાજમાં માન-સન્માન વધશે. ઓફિસમાં તમારા કામની કદર થાય તેમજ તમારા કામના વખાણ થાય. આ દરમિયાન તમને કોઈ ખાસ નવી જવાબદારીઓ સોપવામાં આવે. આ સાથે તમારી નાણાકીય સ્થિતિ પણ સુધારો આવે. ખાસ કરીને વેપારી માટે સમય શુભ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન હકારાત્મક રિઝલ્ટ આપી શકે છે. વિદેશ યાત્રાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. અચાનક આર્થિક લાભ થાય.  કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો તેમજ પ્રેમજીવન પણ મધુર રહેશે.

વૃષભ રાશિ 

શનિની રાશિ કુંભ રાશિમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિના લોકો માટે ખૂબ લાભદાયક રહેશે. સૂર્યદેવની કૃપા બની રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે. હકારાત્મક લાગણી અનુભવો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી બને. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવુ જરુરી છે, તેમજ શક્ય હોય તેટલો બાળકોને સમય આપો. 


Google NewsGoogle News