ગ્રહોના રાજા સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં કરશે પ્રવેશ, જાણો કઇ રાશિના જાતકોને થશે લાભ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
ગ્રહોના રાજા સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં કરશે પ્રવેશ, જાણો કઇ રાશિના જાતકોને થશે લાભ 1 - image

Image:Freepik

નવી દિલ્હી,તા. 12 માર્ચ 2024, મંગળવાર 

આત્માના કારક સૂર્ય જલ્દી મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં મેષ સહિત આ જાતકોને વિશેષ લાભ મળી શકે છે. ગ્રહોના રાજા સૂર્ય ભગવાન એપ્રિલમાં પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તે તમામ રાશિના લોકો પર પોતાનો શુભ પ્રભાવ પાડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જે આ સમયે વિશેષ લાભ મેળવી શકે છે. જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

સિંહ રાશિ

સૂર્ય ભગવાન સિંહ રાશિના સ્વામી છે. સૂર્ય ભગવાન તમારી રાશિથી નવમા ભાવમાં જવાના છે. તેથી, આ સમય તમારા માટે ભાગ્યશાળી બની શકે છે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. ધન સંપત્તિમા વધારો થશે. 

તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. ત્યાં તમે નાની કે મોટી યાત્રાઓ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો શુભ સાબિત થઈ શકે છે.

મકર રાશિઃ  સૂર્ય ભગવાન આ રાશિના ગોચર કુંડળીના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેથી સુખ-સુવિધાઓમાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, તમે આ સમયગાળા દરમિયાન વાહન અને મિલકતમા વધારો થઇ શકે છે. વેપારમાં પણ ફાયદો થશે. જો તમે પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટને લગતો બિઝનેસ કરો છો તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મીન: સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી ધન અને વાણી ભાવ તરફ થવાનું છે. તેથી, આ સમયે તમને સમયાંતરે અણધાર્યા પૈસા મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય સારો છે.તમારું બેંક બેલેન્સ વધશે., વ્યક્તિત્વમાં સુધારો થશે અને તમારી વાણી અસરકારક રહેશે, જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે. આ સમયે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.


Google NewsGoogle News