Get The App

શનિ સૂર્યનો શક્તિશાળી રાજયોગ, 15 મે સુધી આ 3 રાશિના જાતકો માટે શુભ સમય

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
શનિ સૂર્યનો શક્તિશાળી રાજયોગ, 15 મે સુધી આ 3 રાશિના જાતકો માટે શુભ સમય 1 - image


Shani Surya Rajyog : 14 એપ્રિલથી સૂર્યએ તેની ઉચ્ચ રાશિ મેષમાં ગોચર કર્યું છે. આ ગોચર પછી શનિ અને સૂર્ય બંને ગ્રહો એકબીજાથી 30 ડિગ્રીના એંગલ પર આવી ગયા છે. આવી સ્થિતિમાં સૂર્ય અને શનિએ દ્વિ-દ્વાદશ રાજયોગ બનાવ્યો છે. જ્યોતિષીઓના કહેલા પ્રમાણે સૂર્ય અને શનિની આ દુર્લભ રાજયોગ 15 મે સુધી 3 રાશિઓને લાભ આપશે. આ રાશિઓમાં મિથુન, કર્ક અને કુંભ રાશિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિના જાતકો, ધનલાભની સાથે પ્રેમ પણ મળશે

મિથુન રાશિ

નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. આવકમાં વધારો થવાના નવા સ્ત્રોત ખુલશે. વ્યવસાયમાં નફો અને રોકાણની સુવર્ણ તકો મળશે. આ ઉપરાંત જીવનમાં નવી ખુશીઓનું આગમન થાય. દરેક ક્ષેત્રમાં અપાર સફળતાનો યોગ બને છે. આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ

નોકરીમાં પ્રમોશનની પ્રબળ યોગ બની રહ્યા છે. તમને પગાર વધારા તેમજ પ્રમોશનના લાભો મળી શકે છે. પૈતૃક મિલકત મળવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત ઘણા સમયથી તમારા અટકેલા કામને વેગ મળશે. સમાજમાં માન-સન્માન વધશે. આત્મવિશ્વાસમાં વધારો થતાં તમે તમારા કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચી શકશો. નાણાકીય લાભ થશે.

આ પણ વાંચો : અક્ષય તૃતીયા પહેલાં ઘરમાંથી કાઢી નાંખો આ 6 વસ્તુઓ, નહીંતર આખું વર્ષ પૈસાની સમસ્યા રહેવાની છે માન્યતા

કુંભ રાશિ

વ્યાપારી વર્ગના લોકોને પ્રગતિની નવી તકો મળશે. કુંભ રાશિના જાતકોને તમામ ક્ષેત્રમાં સરળતાથી સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ ઉપરાંત, તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથીના સહયોગથી કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે. તમારા દુશ્મનોના કાવતરાઓને પણ નિષ્ફળ બનાવી શકશો.


Tags :