શનિ-રાહુના સંયોગથી ત્રણ રાશિ પર મોટું સંકટ, મોટાપાયે ધનહાનિ થવાની આશંકા

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
શનિ-રાહુના સંયોગથી ત્રણ રાશિ પર મોટું સંકટ, મોટાપાયે ધનહાનિ થવાની આશંકા 1 - image


Shani-Rahu Gochar Horoscope: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર અને રાહુને પાપી ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોનો યોગ અને સંયોગને સારો માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે શનિ અને રાહુ જોડાય છે ત્યારે તે અશુભ સાબિત થાય છે. જો કે, તેઓ કુંડળીમાં તેમની સ્થિતિના આધારે કેટલીક રાશિઓ માટે શુભ પણ સાબિત થઇ શકે છે.

હાલમાં શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. શનિએ 6 એપ્રિલ, 2024ના રોજ આ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. આ નક્ષત્ર બાદ શનિ 3 ઓક્ટોબરે બપોરે 12.30 કલાકે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં શનિ 27 ડિસેમ્બર સુધી રહેશે. રાહુ શતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ છે. શનિના શતભિષા નક્ષત્રમાં ગોચર થવાથી આ ગ્રહો એકબીજા પર વ્યાપક અસર કરશે, જેના કારણે તમામ રાશિ પ્રભાવિત થશે. જો કે ત્રણ રાશિ પર તેની ખૂબ જ નકારાત્મક અસર થવાની સંભાવના છે. આવો જાણીએ આ ત્રણ રાશિ કઈ છે અને જાતકો પર તેની શું અસર પડશે?

શતભિષા નક્ષત્રમાં શનિના ગોચરનો પ્રભાવ

વૃષભ રાશિ

• તમારા સ્વભાવમાં ચીડિયાપણું વધી શકે છે. 

• આર્થિક સ્થિતિ બગડી શકે છે. અણધાર્યા ખર્ચ આવક પર અસર કરશે.

• નોકરી કરતા જાતકોના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. કામનું દબાણ તણાવનું કારણ બની શકે છે.

• વેપારમાં મંદી આવવાની સંભાવના છે. ઉપરાંત કેટલીક નીતિઓને લઈને કાનૂની વિવાદો થઇ શકે છે.

• પરિવારમાં કેટલીક બાબતોને લઈને તણાવ વધી શકે છે. પ્રિયજનો સાથે મતભેદ અથવા ઝઘડા થઈ શકે છે.

કર્ક રાશિ

• તમારા સ્વભાવમાં આળસની વૃત્તિ વધશે. તમારી વિલંબ કરવાની ટેવ દરેક કામને અસર કરશે.

• આર્થિક રીતે આ સમય તમારા માટે અનુકૂળ નથી. આવકના સ્ત્રોતમાં ઘટાડો થવાથી આવકમાં ઘટાડો થઈ શકે છે.

• નોકરી કરતા લોકોના જીવનમાં અસ્થિરતાનો સમય રહેશે. મન મૂંઝવણમાં રહેશે જેના કારણે કામ પર અસર પડશે.

• વ્યવસાયના ભાગીદારીમાં વિવાદ થઈ શકે છે, જેના કારણે વેપારમાં નુકસાન વધવાની સંભાવના છે. તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

• પારિવારિક જીવનમાં તણાવ રહેશે, માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારી ચિંતામાં વધારો કરશે. તમારી પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે.

વૃશ્ચિક રાશિ

• વેપારમાં સ્પર્ધા વધી શકે છે. સ્પર્ધાના દબાણમાં વધારો થવાને કારણે તમે ખોટા નિર્ણયો પણ લઈ શકો છો. અને તેનાથી વેપારમાં નુકસાન થઇ શકે.

• કામને લઈને તમારી ચિંતામાં વધારો થશે. તણાવને કારણે ઊંઘ ન આવવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

• ઓફિસમાં તણાવ વધવાની શક્યતા છે. સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે.

• વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મન નહીં લાગે. તેમની એકાગ્રતા ઘટશે. તેઓ પરીક્ષામાં નાપાસ પણ થઈ શકે છે.

• વિવાહિત જીવનમાં જીવનસાથી સાથેના સંબંધો બગડી શકે છે. પ્રેમ સંબંધમાં તમને દગો મળી શકે છે.

શનિ-રાહુના સંયોગથી ત્રણ રાશિ પર મોટું સંકટ, મોટાપાયે ધનહાનિ થવાની આશંકા 2 - image


Google NewsGoogle News