Get The App

તન પર નાગ, ચારેકોર આગ અને અભય મુદ્રા... સંહારક શિવ કેવી રીતે બન્યા નૃત્યના જનક નટરાજ

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
તન પર નાગ, ચારેકોર આગ અને અભય મુદ્રા... સંહારક શિવ કેવી રીતે બન્યા નૃત્યના જનક નટરાજ 1 - image


Image: Wikipedia

Nataraja: દિલ્હીમાં ગયા વર્ષે 2024માં જ્યારે G20 સંમેલનનું આયોજન થયું ત્યારે ભારત મંડપમની ભવ્યતાની પણ ચારેબાજુ ચર્ચા થઈ રહી હતી. આ ભવ્યતાની શોભા ત્યારે વધી ગઈ જ્યારે ત્યાં નટરાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ થયું. અષ્ટધાતુથી બનેલી આ નટરાજની પ્રતિમા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે. નટરાજ હકીકતમાં ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે, જેમાં તે નૃત્ય કરી રહ્યા છે. મહાન યોગી અને ધ્યાની શિવ, નૃત્યના પણ પ્રણેતા છે અને સંસારના પ્રથમ નર્તક પણ માનવામાં આવે છે. તેમનું આ નૃત્ય સ્વરૂપ નટરાજ કહેવાય છે. 

ભારતની નટ જાતિ અને નટરાજ

ભારતના પ્રાચીન જનજાતિય સમૂહોમાં એક જાતિ નટ પણ સામેલ છે. 21મી સદીની શરુઆત સુધી નટ જાતિના લોકો ગામ-કસ્બામાં જોવા મળતા હતા. હજુ પણ આ સુદૂર ગામમાં હાજર છે. મેળામાં કરતબ દેખાડતાં, રસ્તા કિનારે પોતાના જિમ્નાસ્ટ જેવા કૌશલ્યનું બેજોડ પ્રદર્શન કરતાં આ કલાકાર નટ સમુદાયથી જ સંબંધ ધરાવે છે, જોકે હવે તેમનું સ્થાન મોલ્સમાં જોવા મળતાં ક્લાઉને લઈ લીધું છે, જે ક્યારેક જોકરનો માસ્ક પહેરેલા અમુક કરતબ બતાવતા જોવા મળતાં હોય છે.

લલિત કલાના ત્રણ મુખ્ય કૌશલ્યનો નમૂનો છે નટરાજ

શિવનું નટરાજ સ્વરૂપ લલિત કલાના ત્રણ પ્રમુખ કૌશલ્ય નૃત્ય, મૂર્ત શિલ્પ અને ચિત્રકલાની શરુઆતનો સૌથી બેજોડ નમૂનો છે. વિશ્વભરમાં તમને આની ત્રણેય વિદ્યાઓના સ્વરૂપ સરળતાથી મળશે પરંતુ તેના મૂળમાં નૃત્ય જ સૌથી મુખ્ય છે અને પહેલા આની પર વાત કરવી જરૂરી છે.

શું શિવના નૃત્યથી પ્રલય આવે છે?

શિવનો નટરાજ અવતાર હકીકતમાં તેમના દ્વારા નૃત્યનું અંતિમ પોઝ (પ્રતિનિધિ મુદ્રા) છે. તેમના નૃત્યના વિષયમાં સૌથી ફેમસ તથ્ય એ છે કે તે તાંડવ જેવું ભયાનક નૃત્ય કરે છે અને તેના અંતિમ પોઝ સુધી પહોંચતાં-પહોંચતાં પ્રલય આવી જાય છે અને આ રીતે તેમને સંહારક કહેવામાં આવ્યા છે. આ માત્ર અધૂરું તથ્ય છે. 

શિવ તાંડવના બે સ્વરૂપ

શિવ તાંડવના બે સ્વરૂપ છે. આનંદ તાંડવ અને રુદ્ર તાંડવ. રુદ્ર તાંડવને જ ક્રોધ તાંડવ પણ કહેવાય છે. શિવના આનંદ તાંડવમાં શ્રૃંગારની પ્રધાનતા છે અને આ નવી વિચારધારાનું સર્જન કરનાર નૃત્ય છે. જેમાં પોઝિટિવ વાઇબ છે અને આ ચેતનાનું સ્વરૂપ છે. આનંદ તાંડવની શરુઆત ઓમકારની મૂળ ધ્વનિથી થાય છે. 

તાંડવના વિષયમાં સદ્ગુરુ કહે છે કે હકીકતમાં આ સંસાર એક નૃત્ય જ તો છે. અહીં બધું જ નાચી રહ્યું છે. પદાર્થના સૌથી નાના કણ, પરમાણુ પણ નૃત્ય કરી રહ્યા છે. ઉર્જાનો પ્રવાહ એટલે જ થઈ રહ્યો છે કે તેમાં ગતિ છે. તે કહે છે કે નૃત્ય જ તો છે, જેના કારણે સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. આ અસ્તિત્વમાં શિવનું નૃત્ય જ સુસંગતિ લાવે છે. 

આ પણ વાંચો: 60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બૅન્ક બેલેન્સ વધી શકે!

શિવની તાંડવ મુદ્રાની ખાસિયત

શિવનું નટરાજ સ્વરૂપ તેના અન્ય સ્વરૂપોની જેમ મનમોહક છે અને તેની ઘણી વ્યાખ્યાઓ છે. શિવ સંસારમાં ઉપસ્થિત તમામ કળાઓના દેવતા માનવામાં આવે છે. નટરાજ શિવની પ્રસિદ્ધ પ્રાચીન મૂર્તિમાં નર્તક શિવની ચાર ભુજાઓ છે, તેમની ચારે બાજુ અગ્નિ ઘેરાયેલી છે. તેમના એક પગથી તેમણે એક વામન (અકશ્મા, જેને અપસ્માર પણ કહે છે) ને દબાવી રાખે છે, અને બીજો પગ નૃત્ય મુદ્રામાં ઉપરની તરફ ઉઠેલો છે. તેમણે પોતાના જમણા હાથમાં (જે ઉપરની તરફ ઉઠેલો છે) ડમરુ પકડેલો છે.

શિવની નટરાજ મુદ્રાની ખાસિયત

આ ડમરુના અવાજને સર્જનનું પ્રતીક કહેવામાં આવ્યું છે. આ રીતે આ નૃત્ય શિવની સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે, જે તેના સંહારક થવાથી સૌથી પ્રસિદ્ધ તર્ક અને તથ્યથી અલગ વ્યાખ્યા છે. ઉપરની તરફ ઉઠેલા તેમના બીજા હાથમાં અગ્નિ છે. આ અગ્નિ જ વિનાશનું પ્રતીક છે, તેનો અર્થ એ લગાવવામાં આવી શકે છે કે શિવ જ એક હાથથી સર્જન કરે છે તથા બીજા હાથથી સંહાર પરંતુ આને એ રીતે જોવું જોઈએ કે શિવ એક હાથથી સર્જન કરે છે અને બીજા હાથમાં અગ્નિને પકડીને, તેમણે વિનાશ કરનારી શક્તિઓને કંટ્રોલ કરી રાખી છે. 

અભય મુદ્રા, મોક્ષ અને અજ્ઞાનતાનો નાશ

તેમનો બીજા જમણો હાથ અભય (કે આશિષ) મુદ્રામાં ઉઠેલો છે જે આપણી રક્ષા કરે છે. ગત દિવસોમાં સંસદમાં રાહુલ ગાંધીએ ઘણી વખત અભય મુદ્રાનો ઉલ્લેખ કર્યો હતો. નટરાજ શિવનો જમણો હાથ જે રીતે આશીર્વાદની મુદ્રામાં ઉઠેલો છે, ત્યાં સૌથી પ્રાચીન અભય મુદ્રા છે. જેમાં ચાર આંગળીઓ એક સાથે મળેલી છે અને અંગૂઠો પણ તેમની જ દિશામાં ઉઠેલો છે. આ પંચતત્વનું પ્રતીક છે. પંચતત્વ, જેનાથી આ તમામ સૃષ્ટિ બનેલી છે.

શિવ ચરણોમાં મોક્ષ છે

શિવનો એક પગ ઉઠેલો છે, આ મોક્ષ છે. તેમનો બીજો ડાબો હાથ તેમના ઉઠેલા પગની તરફ દર્શાવે છે એટલે કે શિવ મોક્ષના માર્ગ પર આવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આનો અર્થ એ પણ છે કે શિવના ચરણોમાં જ મોક્ષ છે. તેમના પગની નીચે કચડેલો દાનવ અજ્ઞાનનું પ્રતીક છે જે શિવ દ્વારા નષ્ટ કરવામાં આવે છે. 

અજ્ઞાન નાશક છે શિવ

શિવ અજ્ઞાનનો વિનાશ કરે છે. ચારે બાજુ ઉઠી રહેલી આગની ચપેટો આ બ્રહ્માંડનું પ્રતીક છે. તેમના શરીર પરથી લહેરાતા સાપ કુંડલિની શક્તિના પ્રતીક છે. આ એ વાતના પણ પ્રતીક છે કે આપણી ઇચ્છા અને આકાંક્ષાઓ કઈ રીતે આપણને જકડીને રાખે છે. તેમની સંપૂર્ણ આકૃતિ ૐ કાર જેવી દેખાય છે. ૐ પોતાનામાં બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ શિવમાં સમાયેલું છે. શિવની આ મુદ્રા ચેતનાનું સાકાર સ્વરૂપ છે અને સાધનાના સૌથી ઊંચા આયામને સામે રાખે છે. આ તે મુદ્રા છે, જેનાથી લલિત કલાઓનો જન્મ થાય છે.

તમામ નૃત્ય વિદ્યાઓના જનક છે નટરાજ

નટરાજ ઘણા ભારતીય શાસ્ત્રીય નૃત્ય રૂપો, વિશેષ રીતે ભરતનાટ્યમ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ પ્રાચીન નૃત્ય શૈલી નટરાજ દ્વારા સામે મૂકવામાં આવેલી ઘણી મુદ્રાઓને અપનાવે છે. નટરાજની મુદ્રાઓ ભરતનાટ્યમની કોરિયોગ્રાફીમાં એક મૌલિક તત્ત્વના રૂપમાં કામ કરે છે. નર્તક પોતાના પ્રદર્શનમાં નટરાજની મુલાયમ અને લયબદ્ધ ગતિને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે અને આ રીતે બ્રહ્માંડીય નૃત્યને જીવિત કરે છે.

ઓડિશી, કુચિપુડીથી કથક સુધી

બીજા ભારતીય શાસ્ત્રીય નૃત્ય જેમ કે ઓડિશી, કુચિપુડી અને કથક પણ નટરાજથી પ્રેરિત છે. તે પોતાની પ્રસ્તુતિઓમાં નટરાજની વિશિષ્ટ હાથની મુદ્રાઓ અને આસનોને સામેલ કરે છે જે ભારતમાં નૃત્ય અને ધર્મની વચ્ચે ગાઢ સંબંધને દર્શાવે છે. આ આકર્ષક પ્રસ્તુતિઓ દ્વારા નટરાજના નૃત્યનો વાસ્તવિક સાર જીવિત થાય છે. જે નર્તક, દર્શક અને કળાની પાછળના ગાઢ દાર્શનિક અને આધ્યાત્મિક વિચારોની વચ્ચે એક કનેક્શન સ્થાપિત કરે છે. નટરાજ આજે પણ નર્તકોને પ્રેરિત કરે છે, ભલે તે શાસ્ત્રીય હોય કે આધુનિક અને આ તેની સ્થાયી શક્તિ અને કાલાતીત આકર્ષણને પ્રદર્શિત કરે છે. 


Google NewsGoogle News