પગના આકાર અને તળિયામાં છુપાયેલો હોય છે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું રાઝ, જાણો કાશીના જ્યોતિષી શું કહે છે…

કોઈ પણ વ્યક્તિના પગની રચના પરથી તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે

પગના તળિયા કોમળ હોય તે ધનવાન અને નસીબદાર હોય છે, આવા લોકો શાહી જીવન જીવે છે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
પગના આકાર અને તળિયામાં છુપાયેલો હોય છે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું રાઝ, જાણો કાશીના જ્યોતિષી શું કહે છે… 1 - image
Image Envato 

Your future is hidden in your feet :  જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે રીતે કોઈ વ્યક્તિની કુંડલી અને હાથની રેખાઓ તેના જીવનના રાઝ કહેતી હોય છે, બરોબર એ જ રીતે પગનો આકાર, સાઈઝ, આંગળીયો વચ્ચેની જગ્યા પણ તેના સ્વભાવ વિશે ઘણુ બધુ કહી જાય છે. કોઈ પણ વ્યક્તિના પગની રચના પર અધ્યયન કરીને તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. માત્ર આટલું જ નહીં, વ્યક્તિનું કરિયર કેવુ રહેશે, તે કઈ ઉંમરે સફળ થશે, ધનના મામલે તેનું ભાગ્ય કેવુ રહેશે, વગેરે મહત્ત્વપૂર્ણ પહેલુઓ વિશે પગના આકારને જોઈને જાણી શકાય છે. આવો જાણીએ કાશીના જ્યોતિષ શું કહે છે તે જાણીએ…

પગના તળિયાને જોઈને ભવિષ્ય પણ જાણી શકાય 

કાશીના પંડિત સંજય ઉપાધ્યાય આ વિશે વાત કરતાં કહે છે કે, કુંડળી, હથેળી, કાંડા અને મગજની રેખાઓ સિવાય પગના તળિયા પણ તમારા ભવિષ્ય કહી આપે છે. પગના તળિયાને જોઈને તમે ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન વિશે જાણી શકો છો. દરેક વ્યક્તિના પગની રચનામાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. આપણે કેવી રીતે ચાલીએ છીએ, કેવી રીતે કદમ કરીએ છીએ, પગની સાઈઝ કેટલી છે. તેનાથી વ્યક્તિના ભવિષ્ય વિશે ખ્યાલ આવે છે. 

પગના તળિયા કોમળ હોય તે ધનવાન હોય છે

જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે જે વ્યક્તિના પગમાં પરસેવો થતો નથી અને તેના તળિયા હંમેશા નરમ હોય છે, તેમજ એડીઓ સુંદર હોય છે, પગની આંગળીઓ સંપૂર્ણપણે જોડાયેલી હોય છે અને પગ હંમેશા ગરમ રહે છે. આવા લોકો ધનવાન અને નસીબદાર પણ છે. તેમજ તેમનું જીવન સુખી હોય છે. તેઓ શાહી જીવન જીવે છે.

આવા લોકો આળસુ હોય છે

જ્યોતિષાચાર્યના કહેવા મુજબ જે વ્યક્તિના પગના તળિયા સૂપ જેવા હોય છે એટલે કે પીઠ કરતા નાના અને આગળનો ભાગ સપાટ હોય તેમજ પગનો રંગ પણ પીળો હોય આ લક્ષણોવાળો વ્યક્તિ મોટાભાગે ગરીબ સ્વભાવની હોય છે અને તેનું જીવન પણ આળસથી ભરેલું હોય છે..

આ લોકો પાસે પૈસા ટકતા નથી

જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિની પગની આંગળીઓ એકબીજાને અડતી નથી અથવા તો તેમની આંગળી વચ્ચે વધારે પ્રમાણમાં અંતર હોય છે. આવા લોકો બીમારીની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે અને ક્યારેય તેમના જીવનમાં પૈસા ટકતા નથી.


Google NewsGoogle News