આ મહાશિવરાત્રિ બાદ અસ્ત થશે શનિ: કર્ક-કુંભ સહિત 4 રાશિના જાતકોની વધશે મુશ્કેલી
Image: Freepik
Maha Shivratri 2025: 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે અને 28 ફેબ્રુઆરીએ શનિ દેવ કુંભ રાશિમાં અસ્ત થઈ જશે. શનિ 6 એપ્રિલ 2025 સુધી આ અવસ્થામાં રહેશે. જ્યોતિષ ગણના અનુસાર શનિની અસ્ત અવસ્થા ચાર રાશિઓ માટે ખૂબ જ અશુભ જોવા મળી રહી છે. અસ્ત શનિના 37 દિવસ 4 રાશિઓ પર ભારે રહેશે. કરિયર-વેપારમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. ધનની અછત રહેશે અને વધતાં ખર્ચાની વચ્ચે બચત મુશ્કેલ હશે. તમને ભાગ્યનો સાથ મળશે નહીં. મહત્ત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ આવશે. તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણય કે કાર્યોને ટાળવા જ યોગ્ય રહેશે.
સિંહ
પ્રોફેશનલ જીવનમાં તણાવ ઊભો થઈ શકે છે. વેપારમાં નુકસાન અને નોકરીમાં માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખો.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ : વૃષભ અને કર્ક રાશિના જાતકો મતભેદથી બચે, કન્યા માટે સારા પરિવર્તન યોગ
વૃશ્ચિક
સંતાન પક્ષ સાથે જોડાયેલી સમસ્યાઓ ચિંતિત કરશે. સંતાનના આરોગ્યનો ખાસ ખ્યાલ રાખવો પડશે. એકાગ્રતા ભંગ થવાથી અભ્યાસ પ્રભાવિત થશે.
કુંભ
કાર્યસ્થળ પર સહકર્મચારીઓની સાથે મનમેળ વધી શકે છે. કોઈ જૂના રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. મિત્રો-સગા-વ્હાલા સાથે સંબંધ બગડશે. તમારા ખર્ચા વધશે અને ધનનો સંગ્રહ ખૂબ મુશ્કેલ થશે. આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.