Saphala Ekadashi 2024: આ વર્ષની અંતિમ એકાદશી ક્યારે, જાણો પૂજાનું મુહૂર્ત અને ઉપાસના વિધિ
Saphala Ekadashi 2024: પોષ મહીનાની કૃષ્ણ પક્ષની અગિયારસને સફળા એકાદશી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ અગિયારસનું વ્રત કરવાથી તમામ કાર્યો સફળ થાય છે, તેથી તેને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન અચ્યુત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એક ખાસ વાત એ છે કે આ સફલા એકાદશી વર્ષની છેલ્લી અગિયારસ છે. આ વખતે સફલા એકાદશી 26 ડિસેમ્બર, 2024 ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રના કહેવા પ્રમાણે સફલા એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો : 2025માં આ રાશિમાં 30 વર્ષ પછી ચઢશે શનિની સાડાસાતી, જાણો તેની શું થશે અસર
સફલા એકાદશીનો શુભ સમય
હિન્દુ પંચાંગ પ્રમાણે સફલા એકાદશીની તિથિની શરુઆત તારીખ 25 ડિસેમ્બરના રાત્રે 10:29 વાગ્યે શરૂ થશે અને 27 ડિસેમ્બરે સવારે 12:43 વાગ્યે સમાપ્ત થશે. સફળા એકાદશી પારણા 26મી ડિસેમ્બર સવારે 7.12 થી 9.16 દરમિયાન કરવામાં આવશે. સફલા એકાદશી પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે.
સફલા એકાદશીનું મહત્ત્વ
માન્યતાઓ પ્રમાણે સફલા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી દરેક મનોકામનાઓ પૂરી થાય છે. સફલા એકાદશીના દિવસે ભગવાન અચ્યુતજીની પૂજા કરવામાં આવે છે. આ સાથે તે દિવસે શ્રી હરિની પણ પૂજા કરવામાં આવે છે.આ દિવસે શ્રદ્ધાળુઓ પૂજા, હવન અને ભંડારો વગેરેનું મોટા પાયે આયોજન કરતા હોય છે. આ દિવસે ગરીબો તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. સફલા એકાદશીનું શુભ વ્રતનું સંપૂર્ણ વિધિ વિધાન સાથે અવલોકન કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. તેમજ આ વ્રતથી માનવ જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.
સફલા એકાદશીની કથા
પ્રાચીનકાળમાં ચંપાવતી નગરીમાં રાજા મહિષ્મત રાજ કરતા હતા. રાજાને 4 દિકરાઓ હતા, તેમાંથી લુમ્પક ખૂબ જ દુષ્ટ અને પાપી હતો. તે તેના પિતાના પૈસા દુષ્કર્મમાં વેડફ્યા કરતો હતો. એક દિવસ દુઃખી થઈને રાજાએ તેને દેશનિકાલ કર્યો, પરંતુ તેમ છતાં તેણે તેની લૂંટની ટેવ છોડી ન હતી. એક સમયે તેને 3 દિવસ સુધી ખાવા-પીવાનું ન મળ્યું. આ દરમિયાન તે ભટકતો ભટકતો અને એક સાધુની ઝૂંપડી પર આવી પહોંચ્યો. નસીબજોગે એ દિવસે સફલા એકાદશી હતી.
આ પણ વાંચો : મેરઠમાં નાસભાગ, અનેક મહિલાઓ કચડાઈ: શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ
મહાત્માએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન આપ્યું. મહાત્માના આ વર્તનથી તેમની બુદ્ધિ બદલાઈ ગઈ. તે ઋષિના ચરણોમાં પડ્યો. સાધુએ તેને પોતાનો શિષ્ય બનાવ્યો અને ધીરે ધીરે લ્યુકનું ચરિત્ર શુદ્ધ થતુ ગયું. મહાત્માની આજ્ઞાથી તેમણે એકાદશીનું વ્રત રાખવા લાગ્યા. જ્યારે તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગયા, ત્યારે મહાત્માએ તેમનું સાચું સ્વરૂપ તેમની સમક્ષ પ્રગટ કર્યું. મહાત્માના વેશમાં સ્વયં તેના પિતા જ સામે ઊભા હતા. ત્યાર બાદ લમ્પકે રાજ પાટ સંભાળીને એક આદર્શ રજૂ કર્યો અને તેમણે આજીવન સફલા એકાદશીનો ઉપવાસ રાખવા લાગ્યા હતા.