Shani Uday 2024: હોળાષ્ટકમાં શનિનો ઉદય, આ 3 રાશિના જાતકોની મુશ્કેલી વધશે તેવી શક્યતા

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
Shani Uday 2024: હોળાષ્ટકમાં શનિનો ઉદય, આ 3 રાશિના જાતકોની મુશ્કેલી વધશે તેવી શક્યતા 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 02 માર્ચ 2024 શનિવાર

હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યા છે. જેના બીજા દિવસે 18 માર્ચ 2024એ સવારે 07.49 મિનિટે શનિનો કુંભ રાશિમાં ઉદય થવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની દરેક બદલાતી ચાલ 12 રાશિઓને પ્રભાવિત કરે છે. ઉદય થઈને શનિ અમુક રાશિઓને બેહિસાબ લાભ આપશે તો અમુક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. 

કર્ક રાશિ

શનિ ઉદય થઈને કર્ક રાશિના જાતકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કરિયરમાં ઘણા પડકાર આવશે. અધિકારીઓની સાથે મતભેદ થઈ શકે છે. બિઝનેસમાં હાથ આવેલી તક તમારા હાથમાંથી નીકળી શકે છે. પૈતૃક સંપત્તિનો મામલો તમારા પક્ષમાં હશે નહીં. નુકસાનના સંકેત છે. દાંપત્ય જીવનમાં મતભેદના થઈ શકે છે. દરમિયાન વાણી પર સંયમ રાખવો. કારણ વિનાના ખર્ચાથી મુશ્કેલી વધશે. ભૂલથી પણ વૃદ્ધો, મહિલાઓનું અપમાન ન કરવુ, કાળા કૂતરાને ભોજન કરાવો. શનિ પ્રસન્ન થશે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોનો ઉદય શનિ આર્થિક રીતે મુશ્કેલી વધારી શકે છે. અચાનક ધન ખર્ચ વધશે. જેનાથી રૂપિયાનું સંકટ ઘેરાઈ શકે છે. આરોગ્યના મામલે બેદરકારી ન રાખો, શારીરિક રીતે નુકસાનના યોગ છે. નોકરી બદલવાનો વિચાર ટાળી દો. ઉતાવળમાં લીધેલો નિર્ણય આર્થિક અને માનસિક મુશ્કેલી વધારી શકે છે. ભૂલથી પણ અત્યારે પ્રોપર્ટીમાં રોકાણ ન કરો. ખાસકરીને શનિવારના દિવસે શનિ દેવને સરસવનું તેલ ચઢાવો. 

કન્યા રાશિ

શનિનો ઉદય કન્યા રાશિના લોકો પર પણ વિપરીત અસર નાખશે. કોઈ પોતાની વ્યક્તિથી દગો મળી શકે છે. દરમિયાન સીક્રેટ પોતાના સુધી જ રાખો. યોજનાઓને જાહેર ન કરો. સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્ય પર ફોકસ કરો. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના પોલિટિક્સથી બચો, આ તમારા માટે નુકસાનદાયક થઈ શકે છે. કરિયરને લઈને હાલ નવો નિર્ણય ન કરો. દાંપત્ય જીવનમાં ઝઘડાની સ્થિતિ બની શકે છે. જીવનસાથીની સલાહ લઈને કામ કરો. શનિવારે યથાશક્તિ દાન કરો. 


Google NewsGoogle News