ઓક્ટોમ્બર મહીનામાં આ રાશિના લોકો રહે સાવધાન, નહીં થઈ શકે છે ભારે નુકસાન
જ્યોતિષશાસ્ત્ર એટલે સરળ શબ્દોમાં કહીએ તો જ્યોતિ એટલે કે પ્રકાશ અને ઇષ એટલે ઈશ્વરનો વાસ છે તેનું નામ જ્યોતિષશાસ્ત્ર
મેષ રાશિના જાતકોએ વ્યાપારમાં ધનની લેવડ- દેવડમાં સાવધાની રાખવાની જરુર છે
Image Envato |
તા. 1 ઓક્ટોબર 2023, રવિવાર
જ્યોતિષ શાસ્ત્ર (Astrology) એ વિજ્ઞાન (science) અને શ્રદ્ધા (Faith)નો અદભૂત સમન્વય છે. જ્યોતિષશાસ્ત્ર ( (Astrology)) એટલે સરળ શબ્દોમાં કહીએ તો જ્યોતિ એટલે કે પ્રકાશ અને ઇષ એટલે ઈશ્વરનો વાસ છે તેનું નામ જ્યોતિષશાસ્ત્ર. વિજ્ઞાન સાથે જ્યોતિષ શાસ્ત્ર પણ મહત્વ માનવામાં આવે છે. આજે તમને ઓક્ટોમ્બર (october) મહિનામાં કેટલાક ગ્રહો ગોચર કરવાના છે. જેના કારણે તેની અસર કેટલીક રાશિઓ પર થવાની છે. આવો જાણીએ કે એવી કઈ રાશિઓ છે કે જેમણે ઓક્ટોમ્બર મહીનામાં સંભાળવું પડે તેમ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ વ્યાપારમાં ધનની લેવડ- દેવડમાં સાવધાની રાખવાની જરુર છે. નોકરી બદલવા માટે આ સમય અનુકુળ રહેવાવાળો માનવામાં આવે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ વ્યાપાર માટે ક્યાંય લાંબી યાત્રા કરવી પડે તેવી સંભાવના રહેલી છે. કોઈની સાથે વાદ-વિવાદ ચાલતો હોય તો તે પુરો થઈ શકે છે અને ફરી સારા સંબંધ બની શકે તેવા યોગ બની રહ્યા છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોના કરિયર તેમજ ધંધા-રોજગારમાં પ્રગતિ જોવા મળે. જમીન, મકાન અથવા ફ્લેટ ખરીદવા માટે હાલના સમય અનુકુળ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ આવકથી વધારે ખર્ચ થવાની સંભાવના રહેલી છે. એટલે આ સમયે સાવધાની રાખવાની જરુર છે. નોકરી કરતા લોકોને આ મહિનો બરોબર નહી રહે. ઓફિસમાં તમારા સીનિયર સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તેમજ નોકરી બદલવાની મન થાય.